મોરબીની નીલકંઠ સ્કૂલમાં 12 કોમર્સ પછીનું ભવિષ્ય તે અંગે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો
વાંકાનેર તાલુકાની જામસર સીઆરસી ખાતે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન અને કલા ઉત્સવ યોજાયો
SHARE
વાંકાનેર તાલુકાની જામસર સીઆરસી ખાતે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન અને કલા ઉત્સવ યોજાયો
ગાંધીનગર GCERT પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મોરબી માર્ગદર્શિત વાંકાનેર તાલુકાની જામસર સીઆરસી ખાતે ગણિત વિજ્ઞાન પ્રદર્શન અને કલા ઉત્સવ ૨૦૨૫/ ૨૬ વિકસિત ગુજરાત ૨૦૪૭ અંતર્ગત સીઆરસી કક્ષાની ઉજવણી શ્રી અનુદાનિત નિવાસી પ્રા.શાળા ખાતે કરવામાં આવી હતી જે કલા ઉત્સવમાં ચિત્ર સ્પર્ધા, બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન અને વાદન સ્પર્ધા યોજવામાં આવી હતી. તે તમામ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો તેમજ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં પણ બાળકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. અને ભાગ લીધેલ બાળકોમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનારા વિધાર્થીઓને જામસર સીઆર સી કો. ઓર્ડીનેટર ચૌહાણ નરેન્દ્રસિંહ એસ. તેમજ તાલુકા શાળાના આચાર્ય સોલકી વિનોદભાઈ તેમજ આચાર્ય અને શિક્ષકો દ્વારા રોકડ ઈનામ, બોલપેન અને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ તકે શિલ્ડ અને બોલપેનના દાતા મક્તાનપર પ્રા.શાળાના શિક્ષક બાવરવા નરેન્દ્રભાઈ હતા આ આયોજનને સફળ બનાવવા માટે અનુદાનિત નિવાસી પ્રા.શાળાના આચાર્ય અદ્રોજા જિગ્નેશભાઈ અને શાળા સમગ્ર સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવામા આવી હતી.