તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

​​​​​​​વાંકાનેર તાલુકાની જામસર સીઆરસી ખાતે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન અને કલા ઉત્સવ યોજાયો


SHARE











વાંકાનેર તાલુકાની જામસર સીઆરસી ખાતે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન અને કલા ઉત્સવ યોજાયો

ગાંધીનગર GCERT પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મોરબી માર્ગદર્શિત વાંકાનેર તાલુકાની જામસર સીઆરસી ખાતે ગણિત વિજ્ઞાન પ્રદર્શન અને કલા ઉત્સવ ૨૦૨૫/ ૨૬  વિકસિત ગુજરાત ૨૦૪૭ અંતર્ગત સીઆરસી કક્ષાની ઉજવણી શ્રી અનુદાનિત નિવાસી પ્રા.શાળા ખાતે કરવામાં આવી હતી જે કલા ઉત્સવમાં ચિત્ર સ્પર્ધા, બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન અને વાદન સ્પર્ધા યોજવામાં આવી હતી. તે તમામ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો તેમજ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં પણ બાળકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. અને ભાગ લીધેલ બાળકોમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનારા વિધાર્થીઓને જામસર સીઆર સી કો. ઓર્ડીનેટર ચૌહાણ નરેન્દ્રસિંહ એસ. તેમજ તાલુકા શાળાના આચાર્ય સોલકી વિનોદભાઈ તેમજ આચાર્ય અને શિક્ષકો દ્વારા રોકડ ઈનામ, બોલપેન અને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ તકે શિલ્ડ અને બોલપેનના દાતા મક્તાનપર પ્રા.શાળાના શિક્ષક બાવરવા નરેન્દ્રભાઈ હતા આ આયોજનને સફળ બનાવવા માટે અનુદાનિત નિવાસી પ્રા.શાળાના આચાર્ય અદ્રોજા જિગ્નેશભાઈ અને શાળા સમગ્ર સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવામા આવી હતી.






Latest News