માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે જિલ્લાનું ગૌરવ: વાંકાનેર તાલુકાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના આંબેડકરનગરમાં થયેલ મારામારીમાં સમજાવવા માટે ગયેલ મહિલા અને તેની દીકરીને માર માર્યો: 6 સામે ફરિયાદ


SHARE















વાંકાનેરના આંબેડકરનગરમાં થયેલ મારામારીમાં સમજાવવા માટે ગયેલ મહિલા અને તેની દીકરીને માર માર્યો: કુલ 6 વ્યક્તિ સામે ફરિયાદ

વાંકાનેરમાં આવેલ આંબેડકર નગર શેરી નં- 3 માં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવ સંદર્ભે અગાઉ ફરિયાદ નોંધાઇ હતી ત્યાર બાદ હવે સામાપક્ષેથી ફરિયાદ કરવામાં આવતા પોલીસે બે મહિલા સહિત કુલ છ વ્યક્તિઓ સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેરમાં આવેલ મહાવીર નગર સોસાયટીમાં રહેતા જયાબેન મનુભાઈ સોલંકી (45)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે અરવિંદભાઈ રૂપાભાઈ સોલંકી, જીતેશભાઈ અરવિંદભાઈ સોલંકી, અરવિંદભાઈની દીકરી વૈશાલીબેન અને હેતલબેન તેમજ ભવાનભાઈ રૂપાભાઈ સોલંકી અને નિલેશભાઈ ભવનભાઈ સોલંકી રહે. બધા આંબેડકરનગર વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, આરોપી અરવિંદભાઈ તેના દીકરા તેમજ દીકરીએ સાહેઅમૃતભાઈને છૂટી ઈંટ મારીને બંને પગમાં ઇજા કરી હતી અને ગાળો બોલી હતી જેથી ફરિયાદી અને તેની દીકરી શીતલ બંને આરોપીના ઘરે સમજાવવા માટે ગયા હતા ત્યારે આરોપીઓએ તેને ગાળો આપી હતી અને વૈશાલીબેન તથા હેતલબેનએ ફરિયાદી અને સાહેશીતલબેનને ઢીકાપાટુનો માર માર્યો હતો જેમાં ફરિયાદીને જમણા ખભામાં ઇજા થયેલ છે અને ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલાસારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News