મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબી નજીકથી મૃત હાલતમાં મળી આવેલ યુવાનનું નામ રવિન્દ્રભાઈ હોવાનું ખૂલ્યું


SHARE







મોરબી નજીકથી મૃત હાલતમાં મળી આવેલ યુવાનનું નામ રવિન્દ્રભાઈ હોવાનું ખૂલ્યું

મોરબીના નવલખી રોડ ઉપર રેલવે ટ્રેકની બાજુમાં પાણીના ખાડામાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેની ઓળખ મેળવવા માટે પોલીસે તજવીજ હાથ ધરી હતી અને મૃતક યુવાન મૂળ એમપીનો રહેવાસી છે તેમજ હાલમાં માળીયા તાલુકાના ખીરસરા ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતો હોવાનું સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ગઈકાલે સવારે મોરબીના નવલખી રોડ ઉપર રેલવે ટ્રેકની બાજુમાં આવેલ પાણીના ખાડામાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી તે મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વાલભા ચાવડા અને તેની ટીમ દ્વારા મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસ દરમિયાન મૃતક યુવાન મૂળ એમપીનો રહેવાસી રવિન્દ્રભાઈ ચુનિયાભાઈ ભુરીયા (33) હોવાનું સામે આવ્યું હતું અને છે અને હાલ તે માળીયા મીયાણા તાલુકાના ખીરસરા ગામે ભગુભાઈની વાડીએ તેના પરિવાર સાથે રહીને મજૂરી કામ કરતો હતો. વધુમાં તપાસવી અધિકારી પાસેથી મળેલ માહિતી મુજબ મૃતક યુવાને આંચકી આવવાની બીમારી હતી અને તે બેથી ત્રણ દિવસ પહેલા જ તેના વતનમાંથી અહીં મજૂરી કામ કરવા માટે થઈને આવ્યો હતો દરમિયાન આંચકી આવવાના કારણે તે પાણીમાં પડ્યો હોય અને તેનું મોત નીપજયું હોય તેવું હાલમાં પ્રાથમિક તપાસમાં દેખાઈ રહ્યું છે જે અંગેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વૃદ્ધા સારવારમાં
મોરબીના બિલિયા ગામે રહેતા શાંતાબેન મનજીભાઈ શેરસિયા નામના ૭૨ વર્ષના વૃદ્ધા ગામમાં કથા સાંભળવા માટે બાઇકની પાછળ બેસીને જઇ રહ્યા હતા.ત્યારે બાઈકમાંથી પડી જતા ઇજા થયેલ હોય ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જયારે મોરબીના જાંબુડીયા ગામે ઘરે થયેલ મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા રતિલાલ રણછોડભાઈ સીતાપરા નામના ૬૦ વર્ષના વૃદ્ધને અત્રેની સિવીલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા તેમ તાલુકા પોલીસે જણાવેલ છે જે અંગે બી.જી.દેત્રોજા દ્વારા તપાસ કરવામાં આવી હતી.તેમજ મોરબીના રાજપર રોડ ઉપર બાઇક સ્લીપ થવાના બનાવમાં કેતનભાઇ હસમુખભાઈ દોશી (૫૯) રહે.સોમનાથ સોસાયટીને ઇજા થતા સારવારમાં લઈ જવા હતા.

યુવાન સારવારમાં
મોરબીના વીરપરડા અને મોડપર ગામની વચ્ચે દવા પી જવાથી વિપુલભાઈ મેરામભાઇ મુંધવા (૩૪) રહે.૧૧-મનહર પ્લોટ રાજકોટને અત્રે મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના ગિરીશભાઈ મારૂણીયાએ નોંધ કરી તપાસ કરી હતી.જ્યારે મોરબીના પીપળી ગામે થયેલ મારામારીના બનાવમાં ઈજા પામેલા વિનોદભાઈ મનસુખભાઈ વસોયા (૩૫) રહે.લાલપરને અત્રે સારવાર માટે લાવવામાં આવ્યા હતા બનાવને પગલે તાલુકા પોલીસ મથકના ચંદ્રસિંહ પઢિયાર દ્વારા નોંધ કરી આગળની તપાસ કરવામાં આવી હતી તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે.જ્યારે વાંકાનેરના જકાતનાકા પાસે બાઈકમાંથી પડી જતા શિલ્પાબેન કાંતિભાઈ અઘારા (૪૭) રહે.ભાટિયા સોસાયટી વાંકાનેરને અત્રે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News