મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં કમલમ કાર્યલયનું આજે નિરીક્ષણ કરતાં રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા


SHARE













મોરબીમાં કમલમ કાર્યલયનું આજે નિરીક્ષણ કરતાં રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા

મોરબીના સનાડા ગામ પાસે કમલમ કાર્યાલય તૈયાર થઈ ગયું છે અને આગામી તા. 21 ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં કમલમ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવશે. ત્યાર પહેલા શનિવારે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા કમલમ કાર્યાલય ખાતે પહોચ્યા હતા અને આગામી કાર્યક્રમને લઈને જિલ્લા ભાજપના પ્રમુખ સહિતના ભાજપના આગેવાનો સાથે ચર્ચા કરી હતી.

ગુજરાતના દરેક જીલ્લામાં અધ્યતન સુવિધાઓ સજ્જ કમલમ કાર્યાલય બનાવવામાં આવી રહ્યા છે ત્યારે મોરબીમાં સનાળા ગામ પાસે કમલમ કાર્યાલય બનાવવામાં આવ્યું છે તેના ઉદ્ઘાટન પ્રસંગે આગામી તા. 21 ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મોરબી આવી રહ્યા છે અને તેઓની સાથો સાથ ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો અભિવાદન સમારોપણ યોજવાનો છે જેથી ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા આ કાર્યક્રમને ભવ્યાતિ ભવ્ય બનાવવા માટે અત્યારથી જ તૈયારીઓ કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે આજે શનિવારે મોરબીના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા કમલમ કાર્યાલય ખાતે પહોચ્યા હતા ત્યારે તેઓની સાથે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા સહિતના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા અને મોરબી જિલ્લા કમલમ કાર્યાલય ખાતે ઊભી કરવામાં આવેલ સુવિધાઓ વિષેની ચર્ચા કરી હતી તેમજ આગમી દિવસોમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં જે કાર્યક્રમ યોજાવાનો છે તેની ચર્ચા પણ કરવામાં આવી હતી.




Latest News