હળવદના સુસવાવ ગામ પાસેથી ખેડૂતોની 12 ઇલેક્ટ્રીક મોટરની ચોરીના ગુનામાં 6 શખ્સોની ધરપકડ: 4.90 લાખનો મુદ્દામાલ કબ્જે મોરબી જિલ્લા કક્ષા બાળ નાટ્ય-બાળ નૃત્ય નાટિકા, બાળ પ્રતિભાશોધ સ્પર્ધાઓ યોજાશે, ઈચ્છુકોએ ૩૦ નવેમ્બર સુધીમાં ફોર્મ ભરવાનું રહેશે વાંકાનેરના મહિકામાં રેતી ખનન માફિયાઓના ત્રાસથી ખેડૂત પરિવારના ત્રણ યુવાનોએ ઝેર પીધું : એકનું મોત મોરબીમાં રવિવારે 'ધમાલ ગલી' શેરી રમતોત્સવ યોજાશે મોરબી શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા રમતગમત હરીફાઈ-વેશભૂષા હરીફાઈ તથા ડાન્સ કોમ્પીટીશનનું આયોજન વાંકાનેરની વરડુસર પ્રાથમિક શાળાની કૃતી ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રથમક્રમે મોરબી યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ ખાતે યુનિવર્સીટીની પરીક્ષાઓ કઈ રીતે આપવી તે અંતર્ગત વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા કાર્યક્રમ યોજાયો રક્તદાન મહાદાન: મોરબી હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

હળવદના જુના ઇસનપુર નજીક પાણી પીવા ગયેલ યુવતીનો પગ લાપસી જતાં કેનાલના પાણીમાં ડૂબી જવાથી મોત


SHARE





















હળવદના જુના ઇસનપુર નજીક પાણી પીવા ગયેલ યુવતીનો પગ લાપસી જતાં કેનાલના પાણીમાં ડૂબી જવાથી મોત

હળવદના જુના ઇસનપુર અને નવા ઇસનપુર ગામની વચ્ચેથી પસાર થતી કેનાલમાં પાણી પીવા માટે ગયેલ યુવતીનો અકસ્મતે પગ લાપસી જતા તે કેનાલના પાણીમાં ડૂબી ગઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની મૃતક યુવતીના પિતાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ હળવદના મયાપુર ગામના રહેવાસી અને હાલમાં નવા ઇસનપુર ગામે રહેતા આશિષભાઈ વશરામભાઈ જાદવની 18 વર્ષની દીકરી વિધિબેન સાંજના સમયે વાડીએથી ઘરે પરત આવી રહી હતી ત્યારે રસ્તામાં જુના ઇસનપુર અને નવા ઇસનપુર ગામ વચ્ચે આવેલ કેનાલમાં પાણી પીવા માટે તેને ગઈ હતી દરમિયાન અકસ્માતે તેનો પગ લપસતા તે કેનાલના પાણીમાં પડી ગઈ હતી અને પાણીમાં ડૂબી જવાના કારણે વિધિબેન જાદવનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવતીના પિતા આશિષભાઈ જાદવ (42)હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના પીપળી ગામ પાસે આવેલ ઉમિયાનગર સોસાયટીમાં રહેતા વિજયાબેન કાનજીભાઈ સરસાવાડીયા (81) નામના વૃદ્ધા રિક્ષામાં જતા હતા ત્યારે બાઈક અને રીક્ષા વચ્ચે અકસ્માત થયો હતો જેમાં ઇજા પામેલ વૃદ્ધાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીમાં રફાળેશ્વર નજીક બાઇક અને બોલેરો ગાડી વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં અમૃતભાઈ કટારીયા (36) અને રાજલ અમૃતભાઈ કટારીયા (13) નામના બે વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી કરીને ઇજા પામેલા બંને વ્યક્તિને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી. 










Latest News