માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે જિલ્લાનું ગૌરવ: વાંકાનેર તાલુકાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં ૨૦ નવેમ્બરે એકતા પદયાત્રા યોજાશે


SHARE















મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં ૨૦ નવેમ્બરે એકતા પદયાત્રા યોજાશે

મોરબી વિધાનસભા મતવિસ્તારમાં ૨૦ નવેમ્બરે એકતા પદયાત્રા યોજાશે. અને ત્યારે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદાર પટેલનું સ્ટેચ્યુથી એકતા પદયાત્રા શરૂ કરવામાં આવશે અને મોરબીમ આવેલ મણીમંદિર ખાતે તેને પૂર્ણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં વધુને વધુ લોકોને જોડાવવા માટે કલેકટર સ્વપ્નિલ ખરેઅનુરોધ કર્યો છે.

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતીની સમગ્ર ગુજરાત રાજ્યની સાથે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં યોજાઈ રહેલા કાર્યક્રમ અન્વયે મોરબી વિધાનસભા મત વિસ્તારમાં એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યમંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા હાજર રહેવાના છે. અને આગામી ૨૦ નવેમ્બરના રોજ સવારે ૯:૦૦ કલાકથી મોરબીમાં સરદાર પટેલના સ્ટેચ્યુ, નવા બસ સ્ટેન્ડથી મણીમંદિર સુધી  એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રામાં વધુને વધુ જોડાવવા જિલ્લાવાસીઓને જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.






Latest News