મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં લાગેલ આગ 8 કલાકે કાબુમાં આવી: ઉદ્યોગકારને મોટું નુકશાન


SHARE













મોરબી નજીક કારખાનામાં લાગેલ આગ 8 કલાકે કાબુમાં આવી: ઉદ્યોગકારને મોટું નુકશાન

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ પેપર મિલના ગ્રાઉન્ડમાં વેસ્ટ પેપરનો જથ્થો પડ્યો હતો તેમાં કોઈ કારણસર આગ લાગવાનો બનાવ બન્યો હતો અને જે બનાવની તાત્કાલિક મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કારખાનામાં લાગેલ આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો ચાલુ કર્યો હતો. અને અંદાજે 8 કલાકે આગ કાબુમાં આવી ગયેલ છે.

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ પાર્થ પેપર મિલ નામના કારખાનાની અંદર ગ્રાઉન્ડમાં પડેલ વેસ્ટ પેપરમાં જથ્થામાં મંગળવારે બપોરના સમયે કોઈ કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો અને આગમા વેસ્ટ પેપરનો મોટો જથ્થો જપેટમાં આવી ગયો હતો જેથી આ બનાવની મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમ ફાયર ફાઈટર સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કારખાનાના ગ્રાઉન્ડમાં પડેલા વેસ્ટ પેપરના જથ્થામાં લાગેલી આગને કાબુમાં લેવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા અને અંદાજે 8 કલાક સુધી સતત પાણીનો મારો કરીને વેસ્ટ પેપરમાં લાગેલ આગને કાબુમાં લેવામાં આવેલ છે અને આ આગ લાગવાના લીધે કારખાનેદારને મોટું નુકશાન થયું છે અત્રે ઉલેખનીય છે કે, મોરબીની આસપાસના વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઔદ્યોગિક એકમો આવેલા છે તેમ છતાં પણ અહીં ફાયરની અધ્યતન સુવિધા ન હોવાથી ટાંચા સાધનોથી આગ અકસ્માતનો બનાવ બને ત્યારે બચાવ રાહતની કામગીરી કરવામાં આવે છે અને કોઈપના સ્થળે આગ લાગે ત્યારે આગ કાબુમાં આવે ત્યાં સુધી ઉદ્યોગકારોને લાખો કરોડોનું નુકશાન સહન કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી તે હક્કિત છે.




Latest News