માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા
Breaking news
Morbi Today

તેરા તુજકો અર્પણ: ટંકારાના મિતાણા પાસે આશ્રમમાં થયેલ લુંટના બનાવમાં ગયેલ મુદામાલ ફરિયાદીને પરત કર્યો


SHARE













તેરા તુજકો અર્પણ: ટંકારાના મિતાણા પાસે આશ્રમમાં થયેલ લુંટના બનાવમાં ગયેલ મુદામાલ ફરિયાદીને પરત કર્યો

ટંકારાના મિતાણા નજીક ખોડીયાર આશ્રમમાં લુંટનો બનાવ બનેલ હતો. જેમાં દાગીના અને રોકડ લુટારુ લઈ ગયેલ હતા જેની ફરિયાદ નોંધાયેલ હતી જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી અને ટંકારા પોલીસે લૂંટમાં ગયેલ મુદામાલ પૈકીના સોના અને ચાંદીની વસ્તુ તેમજ રોકડા રૂપીયા કબ્જે કરેલ હતા જેને આશ્રમના મહંતને તેરા તુજકો અર્પણ અંતર્ગત ડીવાયએસપીની હાજરીમાં પરત આપવામાં આવેલ છે.

વાંકાનેર વિભાગના ડીવાયએસપી એસ.એચ.સારડાના માર્ગદર્શન હેઠળ ટંકારાના પીઆઇ કે.એમ.છાસીયા અને તેની ટિમ કામ કરી રહી છે તેવામાં ગત તા. 30/7/25 ના રોજ મિતાણા ગામ ખોડીયાર મંદીર આશ્રમમાં લૂંટનો બનાવ બનેલ હતો જેની મહંત રામચરણદાસ માતાજી નારણદાસજીઅજાણ્યા ચાર લુંટારૂ સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, ખોડીયાર મંદીર આશ્રમમાં તાડા તોડીને અજાણ્યા ચાર લુંટારૂ આવ્યા હતા અને ફરીયાદીને છરી બતાવી ડરાવી ધમકાવીને સોંનાની કડી (મુંદરી), હાથમાં પહેરેલ ગેંડાનું કડુ તથા રોકડા રૂપીયા મોબાઇલ ફોન મળી કુલ 87 હજારની મતાની લુંટ કરી હતી. અને આરોપી નાશી ગયા હતા અને આ ગુનામાં આરોપીઓને પકડવામાં આવ્યા હતા અને આરોપીઓ પાસેથી રોકડ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો જેમાં 20 હાજર રોકડા, સોનાની કડી (મુંદરી) 1 જોડ જેની કિંમત 35 હજાર તથા હાથમાં પેરવાનુ ગેડા ચાંદીનુ પળ ચડાવેલ કડુ જેની કિંમત 200 આમ કુલ મળીને 55,200 નો મુદામાલ ફરીયાદીને ટંકારા પોલીસ સ્ટેશને બોલાવીને તેરા તુજકો અર્પણ અંતર્ગત ડીવાયએસપી એસ.એચ.સારડાના હસ્તે તમામ મુદામાલ પરત આપવામાં આવ્યો હતો ત્યારે ટંકારાના પીઆઇ કે.એમ.છાસીયા સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો.






Latest News