મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

ગુજરાત એસ.ટી.નિગમમાં ડી.ટી.ઓ તથા ડીસીની સમયાંતરે બદલી કરવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE













ગુજરાત એસ.ટી.નિગમમાં ડી.ટી.ઓ તથા ડીસીની સમયાંતરે બદલી કરવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબીના અન્ન અને નાગરીક પુરવઠાના પુર્વ સલાહકાર પી.પી.જોષીએ રાજયના મુખ્યમંત્રીને લેખીત રજૂઆત કરીને માંગ કરેલ છે કે ગુજરાત એસ.ટી.નિગમમાં ડી.ટી.ઓ તથા ડીસીની સમયાંતરે બદલી કરવી જોઇએ.કારણ કે ત્યાં ત્રણ વર્ષે નિયમીત બદલી થતી ન હોય તાનાશાહીના લીધે લોકો હેરાન થાય છે.

તેઓએ વધુમાં જણાવેલ છે કે હાલમાં ગુજરાત એસ.ટી. ડીવીઝનમાં વર્ષોથી એક જ જગ્યાએ અમુક ડી.સી.ફરજ બજાવે છે તેમજ ધણા ડીવીઝનમાં ડી.ટી.ઓ પણ એક જ જગ્યાએ ફરજ બજાવે છે. સરકારના મોટાભાગના વિભાગોમાં નિયમોનુસાર ત્રણ વર્ષે બદલી થતી હોય છે જે મુજબ એસટીમાં તેની અમલવારી થતી નથી તેવું જોવા મળે છે. પણ એસ.ટી.નિગમના અધિકારીઓ આ નિયમનુ ખુલ્લે આમ ભંગ કરે છે અને વર્ષોથી એકજ જગ્યાએ ડી.સી. તથા ડી.ટી.ઓ પોતાની મનમાની કરે છે પોતાની પેઢી હોય તેવું વહીવટ ચલાવે છે કોઈપણ અધિકારી અરજીનો સમયસર નિકાલ કરતા નથી અરજદારે અધિકારી વિરૂધ્ધ કરેલ અરજીનો કોઈ નિકાલ કરતા નથી અને અમદાવાદ સેન્ટ્રલ ઓફીસ ખાતે અસંખ્ય અરજી ઓ નિકાલ કર્યા વગરની એમજ પડી રહેલ છે તેમજ અમદાવાદ સેન્ટ્રલ ઓફીસ રાણીય ખાતે વર્ષોથી કર્મચારી અડીંગો જમાવીને બેઠા છે અને પોતાની રીતે વહીવટ ચલાવે છે અને ભાજપ સરકારને બદનામ કરે છે આની અસર આવતી ચુંટણીમા જરૂર આપને જોવા મળશે આવા ત્રણ વર્ષોથી ઉપરના અધિકારી કર્મચારીને તાત્કાલીક બદલી કરવાની આપના લેવલે સુચના આપશો જેથી વહીવટ સારી રીતે ચાલે અને પ્રજાને પુરતો લાભ મળી શકે હાલનો વહીવટ અંધેરીનગરીને ગંડુરાજા જેવો ચાલે છે હાલમાં ૪ થી ૫ રેગ્યુલર ડી.સી. ફરજ બજાવે છે તો ડી.ટી.ઓને પ્રમોશન આપી રેગ્યુલર ડી.સી. બનાવવા જરૂરી છે તો આ બાબતે આપ સાહેબ યોગ્ય કરવા મારી વિનંતી છે.






Latest News