મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાલે પ્રથમ વખત આવશે મોરબીમાં: કમલમ કાર્યલયનું કરશે ઉદ્ઘાટન: પ્રદેશ પ્રમુખનું કરાશે સન્માન


SHARE













કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાલે પ્રથમ વખત આવશે મોરબીમાં: કમલમ કાર્યલયનું કરશે ઉદ્ઘાટન: પ્રદેશ પ્રમુખનું કરાશે સન્માન

મોરબીના શનાળા ગામ પાસે બનાવવામાં આવેલ કમલમ કાર્યાલયનું કાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે તેની સાથોસાથ ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માનો અભિવાદન સમારોહ યોજાશે જેમાં સમગ્ર મોરબી જિલ્લા અને આસપાસના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહેશે.

મોરબી નજીકના સનાળા ગામ પાસે કમલમ કાર્યાલય બનાવવામાં આવ્યું છે તેનું કાલે તા 21 ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉદ્ઘાટન કરવાના છે અને તેઓની સાથો સાથ ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો અભિવાદન સમારોપણ યોજવાનો છે જેથી ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા આ કાર્યક્રમને ભવ્યાતિ ભવ્ય બનાવવા માટે છેલ્લા ઘણા દિવસોથી તૈયારીઓ કરવામાં આવી રહી છે અને અંદાજે પાંચ હજાર જેટલા ભાજપના કાર્યકર્તાઓ આ કાર્યક્મમાં હાજર રહે તેવી શક્યતા છે.

વધુમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાત અને દેશમાં જેને રાજનીતિના ચાણક્ય તરીકે ઓળખવામાં આવે છે તે અમિત શાહ કાલે પ્રથમ વખત મોરબીના આંગણે આવી રહ્યા છે ત્યારે તેઓની ભાવિ સ્વાગત કરવા માટેની તમામ તૈયારીઓ ભાજપ પરિવાર દ્વારા કરી લેવામાં આવેલ છે અને ખાસ કરીને મોરબી જિલ્લાના લોકોને કાલે કમલમ કાર્યાલય બીજી કોઈ કોઈ નવી ભેટ મળે તેવી પણ શક્યતા છે. આ કાર્યકમમાં મોરબી જિલ્લાના તમામ સાંસદો, ધારાસભ્યોએ સહિતના આગેવાનો અને હોદદારો સહિતના હાજર રહેશે.   




Latest News