મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ મોરબીમાં મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ
Breaking news
Morbi Today

મોરબીના આંદરણા ગામના ખેડૂતો-ગ્રામજનો ભાજપના ધારાસભ્યની નીતિરીતિથી નારાજ: સરપંચ સાહિત 200 જેટલા યુવાનોએ ભાજપ સાથે છેડો ફાડી આપનો ખેસ ધારણ કર્યો


SHARE













મોરબીના આંદરણા ગામના ખેડૂતો-ગ્રામજનો ભાજપના ધારાસભ્યની નીતિરીતિથી નારાજ: સરપંચ સાહિત 200 જેટલા યુવાનોએ ભાજપ સાથે છેડો ફાડી આપનો ખેસ ધારણ કર્યો

મોરબી જિલ્લામાં આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા ગરમી વિસ્તારોમા પ્રવાસ કરવામાં આવી રહ્યો છે તેવામાં આંદરણા ગામે આમ આદમી પાર્ટીની સભા યોજાઇ હતી જેમાં ખેડૂતો સહિતના ગામના લોકો હાજર રહ્યા હતા અને ત્યારે ભાજપના ધારાસભ્યની નીતિરીતિથી નારાજ થઈને ગામના સરપંચ અને ઉપસરપંચ સહિત 200 જેટલા ગામના યુવાનોએ ભાજપ સાથે છેડો ફાડીને આમ આદમી પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો છે.

મોરબી તાલુકાના આંદરણા ગામે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ તથા પ્રદેશના આગેવાનની હાજરીમાં ખેડૂતોને ગ્રામજનો સાથે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ગામના ખેડૂતો સહિતના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ તકે આંદરણા ગામના સરપંચ નિતેશભાઇ ચાવડા તેમજ ઉપસરપંચ અનિલભાઈ મારવાણીયાની આગેવાની હેઠળ ગામના 200 જેટલા યુવાનોએ ભાજપ સાથે છેડો ફાડીને આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો ખાસ કરીને આ બેઠકમાં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના આગેવાન કે.ડી.બાવરવા, મોરબી જિલ્લાના પ્રમુખ મહાદેવભાઇ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ તકે ગામના આગેવાને ગામના લોકોને કેનાલની જમીન માટે કપાત, રોડ રસ્તા, ગામનું તળાવ ભરવા સહિતના જે પ્રશ્નો છે તેને ઉલેકવા માટે ભાજપના ધારાસભ્યને અનેક વખત રજૂઆત કરવામાં આવેલ છે પરંતુ આજ દિવસ સુધી તેઓના એક પણ કામને કરવામાં આવ્યું નથી. જેથી ભાજપના ભાજપના ધારાસભ્ય અને આગેવાનોની નીતિરીતિથી નારાજ થઈને ગામના સરપંચ સાહિત 200 જેટલા યુવાનોએ ભાજપ સાથે છેડો ફાડીને આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે




Latest News