હળવદના સુસવાવ ગામ પાસેથી ખેડૂતોની 12 ઇલેક્ટ્રીક મોટરની ચોરીના ગુનામાં 6 શખ્સોની ધરપકડ: 4.90 લાખનો મુદ્દામાલ કબ્જે મોરબી જિલ્લા કક્ષા બાળ નાટ્ય-બાળ નૃત્ય નાટિકા, બાળ પ્રતિભાશોધ સ્પર્ધાઓ યોજાશે, ઈચ્છુકોએ ૩૦ નવેમ્બર સુધીમાં ફોર્મ ભરવાનું રહેશે વાંકાનેરના મહિકામાં રેતી ખનન માફિયાઓના ત્રાસથી ખેડૂત પરિવારના ત્રણ યુવાનોએ ઝેર પીધું : એકનું મોત મોરબીમાં રવિવારે 'ધમાલ ગલી' શેરી રમતોત્સવ યોજાશે મોરબી શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા રમતગમત હરીફાઈ-વેશભૂષા હરીફાઈ તથા ડાન્સ કોમ્પીટીશનનું આયોજન વાંકાનેરની વરડુસર પ્રાથમિક શાળાની કૃતી ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રથમક્રમે મોરબી યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ ખાતે યુનિવર્સીટીની પરીક્ષાઓ કઈ રીતે આપવી તે અંતર્ગત વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા કાર્યક્રમ યોજાયો રક્તદાન મહાદાન: મોરબી હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના આંદરણા ગામના ખેડૂતો-ગ્રામજનો ભાજપના ધારાસભ્યની નીતિરીતિથી નારાજ: સરપંચ સાહિત 200 જેટલા યુવાનોએ ભાજપ સાથે છેડો ફાડી આપનો ખેસ ધારણ કર્યો


SHARE





















મોરબીના આંદરણા ગામના ખેડૂતો-ગ્રામજનો ભાજપના ધારાસભ્યની નીતિરીતિથી નારાજ: સરપંચ સાહિત 200 જેટલા યુવાનોએ ભાજપ સાથે છેડો ફાડી આપનો ખેસ ધારણ કર્યો

મોરબી જિલ્લામાં આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા ગરમી વિસ્તારોમા પ્રવાસ કરવામાં આવી રહ્યો છે તેવામાં આંદરણા ગામે આમ આદમી પાર્ટીની સભા યોજાઇ હતી જેમાં ખેડૂતો સહિતના ગામના લોકો હાજર રહ્યા હતા અને ત્યારે ભાજપના ધારાસભ્યની નીતિરીતિથી નારાજ થઈને ગામના સરપંચ અને ઉપસરપંચ સહિત 200 જેટલા ગામના યુવાનોએ ભાજપ સાથે છેડો ફાડીને આમ આદમી પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો છે.

મોરબી તાલુકાના આંદરણા ગામે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ તથા પ્રદેશના આગેવાનની હાજરીમાં ખેડૂતોને ગ્રામજનો સાથે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ગામના ખેડૂતો સહિતના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ તકે આંદરણા ગામના સરપંચ નિતેશભાઇ ચાવડા તેમજ ઉપસરપંચ અનિલભાઈ મારવાણીયાની આગેવાની હેઠળ ગામના 200 જેટલા યુવાનોએ ભાજપ સાથે છેડો ફાડીને આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો ખાસ કરીને આ બેઠકમાં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના આગેવાન કે.ડી.બાવરવા, મોરબી જિલ્લાના પ્રમુખ મહાદેવભાઇ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ તકે ગામના આગેવાને ગામના લોકોને કેનાલની જમીન માટે કપાત, રોડ રસ્તા, ગામનું તળાવ ભરવા સહિતના જે પ્રશ્નો છે તેને ઉલેકવા માટે ભાજપના ધારાસભ્યને અનેક વખત રજૂઆત કરવામાં આવેલ છે પરંતુ આજ દિવસ સુધી તેઓના એક પણ કામને કરવામાં આવ્યું નથી. જેથી ભાજપના ભાજપના ધારાસભ્ય અને આગેવાનોની નીતિરીતિથી નારાજ થઈને ગામના સરપંચ સાહિત 200 જેટલા યુવાનોએ ભાજપ સાથે છેડો ફાડીને આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે










Latest News