મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના લોકો-ઉદ્યોગકારોના પ્રશ્નો માટે કાલે કેન્દ્રિય ગૃહમંત્રીને આમ આદમી પાર્ટી આવેદનપત્ર પાઠવશે


SHARE







મોરબીના લોકો-ઉદ્યોગકારોના પ્રશ્નો માટે કાલે કેન્દ્રિય ગૃહમંત્રીને આમ આદમી પાર્ટી આવેદનપત્ર પાઠવશે

મોરબીના લોકોને સારી પ્રાથમિક સુવિધા મળતી નથી અને ભાજપના નેતા આવે ત્યારે ટેમ્પરરી કામ કરવામાં આવે છે તેને ધ્યાને રાખીને આમ આદમી પાર્ટીના કાર્યાલયે પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં લોકોના પ્રશ્નોનો કાયમી નિકાલ કરવામાં આવે તેમજ સિરામિક પ્રોડકટ ઉપર લાગતો જીએસટી ઘટાડો, એક્સપોર્ટમાં બેનિફિટ આપો તેમજ કેનાલને લગતા પ્રશ્નોનો ઉકેલ કરવામાં આવે તેવી માંગ સાથે કેન્દ્રિય ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવશે.

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યાલયે પંકજભાઈ રાણસરીયા સહિતના આગેવાનોની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં જણાવ્યુ હતું કે, ભાજપ દ્વારા પોતાના નેતા અને કાર્યકરોની સુવિધા માટે કરોડોના ખર્ચે કમલમ કાર્યાલય ઉભું કરે છે અને મોરબીના વર્ષો જુના પ્રાણ પ્રશ્નો આજે પણ યથાવત છે. જેથી કરીને આમ આદમી પાર્ટી દ્વારા કાલે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને આવેદનપત્ર આપવામાં આવશે. નેતાઓના આગમન પહેલા કરવામાં આવતા રોડ રસ્તા સહિતના પ્રાથમિક સુવિધાના કામ ટેમ્પરરી કરવાના બદલે લોકોના પ્રશ્નોને આજીવન ઉકેલવામાં આવે તેવી માંગ કરવામાં આવશે. તેમજ મોરબીની સિરામિક પ્રોડકટ ઉપર લાગતો જીએસટી ઘટાડો કરવામાં આવે, એક્સપોર્ટમાં બેનિફિટ આપવામાં આવે, જિલ્લામાં આવેલ ત્રણેય બ્રાંચ કેનાલના વર્ષો જૂના પ્રશ્નો ઉકેલવામાં આવે તે સહિતની માંગણીઓને લઈને કેન્દ્રિય ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવશે.






Latest News