મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન
Breaking news
Morbi Today

રક્તદાન મહાદાન: મોરબી હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન


SHARE







રક્તદાન મહાદાન: મોરબી હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

મોરબી તા.૧૯ નવેમ્બર રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પ્રેરિત ડૉ.હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કપોરીવાડી અને શિયાળની વાડી વિસ્તારના ભાઈઓ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને માનવસેવાનું ઉદાત્ત ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

આ પહેલા પણ સમિતિ દ્વારા તા.૯ ના રોજ માધાપર વિસ્તારમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.જેમાં એકતા ગ્રુપ મોરબી તથા મોરબી સિવિલ હોસ્પિટલનો મહત્વપૂર્ણ સહયોગ મળ્યો હતો.આ બંને કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ભાગ લીધો હતો.જેના કારણે જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ કરવામાં મદદ મળશે.સમાજમાં રક્તદાન જેવી પવિત્ર સેવા અંગે જાગૃતિ ફેલાવવા સમિતિ સતત પ્રયત્નશીલ છે.કેમ્પમાં HDFC Bank દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો અને રક્તદાતાઓને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે સમિતિના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે “રક્તદાન એ માનવ જીવન બચાવવાનો સર્વોત્તમ ઉપાય છે” અને આગલા દિવસોમાં વધુ વિસ્તાર સુધી આ સેવા પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

 






Latest News