મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ દ્વારા સમૂહ ભોજનનું કરાયું આયોજન મોરબી જીલ્લામાં ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં હળવદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખે પક્ષમાંથી રાજીનામું આપ્યું સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજનું ૨૮ મુ મહાઅધિવેશન આગામી શનિ-રવિવારે રાજકોટમાં યોજાશે મોરબીમાં ખવાસ રજપૂત સમાજના તેજસ્વી છાત્રો અને સિધ્ધી મેળવનારા પ્રતિભાઓનો સન્માન સમરોહ યોજાયો: રાકેશભાઈ રાઠોડની નવા ટ્રસ્ટી તરીકે નિમણૂક મોરબી જીલ્લામાં નાર્કોટીક્સ શાખામાં PI સહિતના સ્ટાફની નિમણુક કરાઇ બીસ્માર રોડની પરાકાષ્ઠા : મોરબીના આમરણ નજીક ટ્રેલરનમાંથી કન્ટેઇનર પલ્ટી મારી ગયું..! મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલમોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા સરકારી સ્કૂલના બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબી યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ ખાતે યુનિવર્સીટીની પરીક્ષાઓ કઈ રીતે આપવી તે અંતર્ગત વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા કાર્યક્રમ યોજાયો


SHARE





મોરબી યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ ખાતે યુનિવર્સીટીની પરીક્ષાઓ કઈ રીતે આપવી તે અંતર્ગત વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા કાર્યક્રમ યોજાયો

સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ, મોરબી દ્વારા પ્રથમ વર્ષના વિદ્યાર્થીની આંતરિક પરીક્ષા યુનિવર્સિટી દ્વારા લેવાતી પરીક્ષાની જેમ જ લેવામાં આવેલ.ત્યારબાદ તા.૧૯-૧૧-૨૫ના રોજ યુનિવર્સીટી કક્ષાની પરીક્ષાઓ કઈ રીતે આપવી તે અંતર્ગત વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.

જેમાં આગામી પરીક્ષામાં પેપર કઈ રીતે લખવા જોઈએ અને યુનિવર્સિટીની પરીક્ષામાં કઈ રીતે વધુ ગુણ મેળવી શકાય તે માટે પ્રો.કે.આર.દંગીએ વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત આંતરિક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓએ જે જે ભૂલો કરી હતી કે જે જે ક્ષતિઓ રહેવા પામી હતી તે સંદર્ભે ડૉ.એ.એચ.રાજપૂતે સમીક્ષાત્મક વર્ણન કરેલ અને હવે પછી આવું ન થાય તે સંદર્ભે અવગત કરેલ.કાર્યક્રમનું સંચાલન પ્રા.જે.એમ.કાથડે કરેલ.કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની વ્યવસ્થા ડો.એ.કે.ધ્રુવે સંભાળેલ તથા આભાર વિધિ ડો.એન.જી.કોડિયાતરે કરી હતી




Latest News