મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી: પત્ની સાથે બોલાચાલી થયા બાદ યુવાને જીવન ટુંકાવ્યુ


SHARE











મોરબી: પત્ની સાથે બોલાચાલી થયા બાદ યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ

મોરબીના બેલાથી ભરતનગર ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાને ગળાફાંસો ખાવાનો પ્રયત્ન કર્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી

મૂળ એમપીનો રહેવાસી અને હાલમાં મોરબીના ખોખરા હનુમાન રોડ ઉપર બેલા નજીક આવેલ એરસન પ્લાસ્ટર કંપનીના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો ગૌતમ મગનભાઈ ખરાડી (22) નામના યુવાને પોતે પોતાની જાતે યુનિટમાં ગળાફાંસો ખાવાનો પ્રયત્ન કર્યો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી આ બનાવની આગળની વધુ તપાસ એન.એસ.મેસવાણીયા ચલાવી રહ્યા છે અને વધુમાં જાણવા મળતી માહિતી પ્રમાણે ગૌતમભાઈ ખરાડીના લગ્ન થોડા સમય પહેલા જ થયા હતા અને બનાવ બન્યો તે દિવસે પતિ પત્ની વચ્ચે કોઈ કારણસર બોલાચાલી થઈ હતી ત્યારબાદ તેની પત્ની જતી રહેલ હોય યુવાને ગળાફાંસો ખાવાનો પ્રયત્ન કર્યો હતો.

મારા મારીમાં ઇજા

મોરબીના પાનેલી ગામ નજીક પાવર હાઉસ પાસે પ્રભુભાઈ લાલજીભાઈ ચાવડા (37) નામના યુવાનને રાજુભાઈ તળશીભાઇ ચાવડાની વાડી નજીક મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલ હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

વૃદ્ધ સારવારમાં

મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા દુર્લભજીભાઈ વસ્તાભાઈ અમૃતિયા (70) નામના વૃદ્ધ જેતપર ગામના તળાવ પાસેથી બાઈકમાં જઈ રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News