મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી: પત્ની સાથે બોલાચાલી થયા બાદ યુવાને જીવન ટુંકાવ્યુ


SHARE













મોરબી: પત્ની સાથે બોલાચાલી થયા બાદ યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ

મોરબીના બેલાથી ભરતનગર ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાને ગળાફાંસો ખાવાનો પ્રયત્ન કર્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી

મૂળ એમપીનો રહેવાસી અને હાલમાં મોરબીના ખોખરા હનુમાન રોડ ઉપર બેલા નજીક આવેલ એરસન પ્લાસ્ટર કંપનીના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો ગૌતમ મગનભાઈ ખરાડી (22) નામના યુવાને પોતે પોતાની જાતે યુનિટમાં ગળાફાંસો ખાવાનો પ્રયત્ન કર્યો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી આ બનાવની આગળની વધુ તપાસ એન.એસ.મેસવાણીયા ચલાવી રહ્યા છે અને વધુમાં જાણવા મળતી માહિતી પ્રમાણે ગૌતમભાઈ ખરાડીના લગ્ન થોડા સમય પહેલા જ થયા હતા અને બનાવ બન્યો તે દિવસે પતિ પત્ની વચ્ચે કોઈ કારણસર બોલાચાલી થઈ હતી ત્યારબાદ તેની પત્ની જતી રહેલ હોય યુવાને ગળાફાંસો ખાવાનો પ્રયત્ન કર્યો હતો.

મારા મારીમાં ઇજા

મોરબીના પાનેલી ગામ નજીક પાવર હાઉસ પાસે પ્રભુભાઈ લાલજીભાઈ ચાવડા (37) નામના યુવાનને રાજુભાઈ તળશીભાઇ ચાવડાની વાડી નજીક મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલ હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

વૃદ્ધ સારવારમાં

મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા દુર્લભજીભાઈ વસ્તાભાઈ અમૃતિયા (70) નામના વૃદ્ધ જેતપર ગામના તળાવ પાસેથી બાઈકમાં જઈ રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News