મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

ઘર કંકાસમાં ભોગ લેવાયો: મોરબીના નજરબાગ પાસે ટ્રેનના પાટા ઉપર માથું મૂકી યુવાને જિંદગીનું અંત આણ્યો


SHARE













ઘર કંકાસમાં ભોગ લેવાયો: મોરબીના નજરબાગ પાસે ટ્રેનના પાટા ઉપર માથું મૂકી યુવાને જિંદગીનું અંત આણ્યો

મોરબીના સામાકાંઠે આવેલા નજરબાગ રેલ્વે ક્રોસિંગ પાસે ગતરાત્રિના યુવાને પસાર થતી ટ્રેનના રેલ્વે ટ્રેક ઉપર માથું મૂકી દીધું હતું અને જિંદગીનો અંત આણવાના ઇરાદે ભરેલા પગલામાં ગંભીરપણે ઇજાગ્રસ્ત થયેલા યુવાનનું મોત નિપજયુ હતુ.હાલ પ્રાથમિક માહિતી મુજબ પારિવારિક કલેશમાં યુવાને જિંદગીનો અંત આણ્યો હોય તેવું સામે આવ્યું છે.આ બાબતે પોલીસ દ્વારા એડી નોંધ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસસુત્રો તથા તપાસ અધિકારી એ.એમ.જાપડીયા પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે નજરબાગ રેલ્વે ક્રોસિંગ પાસે ગતરાત્રિના સાડા અગીયારેક વાગ્યાના અરસામાં પસાર થતી ગાંધીધામ-બાંદ્રા ટ્રેન પસાર થઈ રહી હતી.ત્યારે રેલ્વે ટ્રેક ઉપર અચાનક એક યુવાન દોડીને આવ્યો હતો અને પાટા ઉપર માથું મૂકી દીધું હતું.જોકે ટ્રેનના ડ્રાઇવરે ટ્રેનને અટકાવવા કોશિશ કરવા છતાં ટ્રેન યુવાન સાથે અથડાઈ હતી અને આ બનાવમાં ગંભીરપણે ઇજા પામેલ યુવાનનું મોત થવાથી તેના ડેડબોડીને અત્રે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યુ હતુ.બાદમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવતા મૃતક યુવાનની પાસેથી મળી આવેલા આધારકાર્ડ મુજબ તેનું નામ સુધીરભાઈ પ્રધાન (ઉમર ૨૯) મૂળ રહે.ઓડિશા હાલ નાઈસ સીરામીક પાસે લાલપર તા.જી.મોરબી હોવાનું સામે આવ્યું છે અને પ્રાથમિક તપાસમાં કોઈ પારિવારિક કલેશના લીધે યુવાને અંતિમ પગલું ભર્યું હોય તેવું હાલ પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યુ છે.બનાવ સંદર્ભે આગળની તપાસ માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મારામારીમાં ઈજા

મોરબીના વાઘપરા શેરી નંબર-૨ ખાતે ઘરે મારામારીના બનાવમાં ઈજા પામેલ જ્યોતિબેન અરવિંદભાઈ હડિયલ નામની ૨૮ વર્ષીય મહિલાને સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીની ક્રિષ્ના સ્કૂલ સામે ધર્મવિજય સોસાયટી પાસે બાઈકમાંથી પડી જતા હેમીબેન ટપુભાઈ કાસુન્દ્રા (ઉમર ૮૦) રહે.સરદારનગર રોડ અર્પણ પાર્કને અત્રે ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના શનાળા ગામે શક્તિમાઁના મંદિર પાસે મારામારીના બનાવમાં સોનલબેન દલુભાઈ ડાભી નામના ૫૦ વર્ષના આધેડ મહિલાને સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબી લીલાપર રોડ બોરીયા પાટી વિસ્તારમાં રહેતા રમણીકભાઈ પ્રભુભાઈ પરમાર નામનો ત્રીસ વર્ષનો યુવાન બાઇક લઈને જતો હતો ત્યાં રસ્તામાં વાહન સ્લીપ થઇ જતા ઈજા પામેલ હાલતમાં તેને સારવાર માટે લાવવામાં આવ્યો હતો.અને મોરબીના કાલિકા પ્લોટ પરસોતમ ચોક પાસે બાઈક પાછળથી પડી જતા સુશીલાબેન બાબુભાઈ કારીયા (૮૦) રહે.પૃથ્વીરાજ પ્લોટ નારાયણી રેસિડેન્સીને ઇજાગ્રસ્ત હાલતમાં ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા




Latest News