મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ દ્વારા સમૂહ ભોજનનું કરાયું આયોજન મોરબી જીલ્લામાં ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં હળવદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખે પક્ષમાંથી રાજીનામું આપ્યું સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજનું ૨૮ મુ મહાઅધિવેશન આગામી શનિ-રવિવારે રાજકોટમાં યોજાશે મોરબીમાં ખવાસ રજપૂત સમાજના તેજસ્વી છાત્રો અને સિધ્ધી મેળવનારા પ્રતિભાઓનો સન્માન સમરોહ યોજાયો: રાકેશભાઈ રાઠોડની નવા ટ્રસ્ટી તરીકે નિમણૂક મોરબી જીલ્લામાં નાર્કોટીક્સ શાખામાં PI સહિતના સ્ટાફની નિમણુક કરાઇ બીસ્માર રોડની પરાકાષ્ઠા : મોરબીના આમરણ નજીક ટ્રેલરનમાંથી કન્ટેઇનર પલ્ટી મારી ગયું..! મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલમોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા સરકારી સ્કૂલના બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

દંપતિ ખંડિત: વાંકાનેર નજીક નેશનલ હાઈવે ઉપર ટ્રક ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા આધેડ મહિલાનું મોત


SHARE





દંપતિ ખંડિત: વાંકાનેર નજીક નેશનલ હાઈવે ઉપર ટ્રક ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા આધેડ મહિલાનું મોત

વાંકાનેરથી મોરબી તરફ જવાના રસ્તા ઉપર નેશનલ હાઈવે રોડ ઉપર જીપરા જકાતનાકા પાસેથી આધેડ પોતાના પત્નીને બાઈકમાં બેસાડીને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે તેઓના બાઇકને પાછળથી હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં આધેડને શરીરે ઇજાઓ થઈ હતી જોકે, તેમના પત્નીના માથા અને છાતીના ભાગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી ગયા હતા જેથી તેની ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવી જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના વેલનાથપરા વિસ્તારમાં રહેતા ભરતભાઈ પ્રવીણભાઈ સારલા (31)ટ્રક નંબર જીજે 11 વાય 9466 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે વાંકાનેર મોરબી નેશનલ હાઇવે રોડ ઉપરથી જીપરા જકાતનાકા પાસે આવેલ હરસિદ્ધિ હોટલ સામેથી તેઓના પિતા બાઈક નંબર જીજે 3 ઇએમ 0668 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈક ઉપર ફરિયાદીના માતા શારદાબેન પ્રવીણભાઈ સારલા (55) પણ તેઓની સાથે બેઠેલા હતા અને ટ્રક ચાલકે ફરિયાદીના પિતાના બાઇકને પાછળથી હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીના પિતાને કપાળના ભાગે, જમણી આંખ પાસે, જમણા પડખામાં અને જમણા પગમાં ઇજાઓ થઈ હતી જોકે, ફરિયાદીની માતા શારદાબેનના માથાના ભાગે તથા શરીર ઉપરથી ટ્રકના તોતિંગ વ્હીલ ફરી ગયા હતા જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. અને અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કર્યા વગર ટ્રક ચાલક પોતાનો ટ્રક લઈને નાશી ગયેલ હતો જેથી હાલમાં મૃતક મહિલાના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે




Latest News