તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી ઝૂલતા પુલ કેસ: પાસપોર્ટ કાયમી ધોરણે પરત આપવા જયસુખભાઇ પટેલે કરેલ અરજી રદ્દ


SHARE











મોરબી ઝૂલતા પુલ કેસ: પાસપોર્ટ કાયમી ધોરણે પરત આપવા જયસુખભાઇ પટેલે કરેલ અરજી રદ્દ

મોરબી ઝુલતાપુલ દુર્ઘટનામાં પકડાયેલા આરોપીઓ પૈકી જયસુખભાઈ પટેલના પણ શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા છે જોકે, તેઓએ તેમનો પાસપોર્ટ કાયમી ધોરણે તેમને પરત આપવામાં આવે તેના માટે મોરબીની ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેની સામે જિલ્લાના સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલને ધ્યાને રાખીને ડિસ્ટ્રીક કોર્ટ દ્વારા તેઓને અરજીને રદ કરવામાં આવેલ છે

મોરબીમાં તા 30-10-2022 ના રોજ ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો ત્યારે પુલ ઉપર હરવા ફરવા માટે આવેલા લોકોમાંથી 135 લોકોના મોત નિપજ્યા હતા જે બનાવ સંદર્ભે મોરબીના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જે તે સમયે ફરિયાદ નોંધાઈ હતી અને આ ગુનામાં અત્યાર સુધીમાં પોલીસ દ્વારા જયસુખભાઇ પટેલ સહિત કુલ મળીને દસ આરોપીઓને પકડવામાં આવ્યા હતા જે આરોપીઓના જુદીજુદી શરતોને આધીન જામીન મજૂર કરવામાં આવ્યા હતા. દરમિયાન ઓરેવા ગ્રૂપના જયસુખભાઈ પટેલ દ્વારા તેઓનો પાસપોર્ટ તેમને કાયમી ધોરણે પરત આપવામાં આવે તેના માટે તેઓના વકીલ મારફતે મોરબીની ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેની સામે મોરબી જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાની દ્વારા કરવામાં આવેલ દલીલને ધ્યાને રાખીને મોરબીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ પી.વી.શ્રીવાસ્તવ દ્વારા તેઓની અરજીને રદ કરવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જયસુખભાઈ પટેલના શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા છે તેમાં જુદીજુદી શરતો પૈકી તેમણે પોતાનો પાસપોર્ટ કોર્ટમાં જમા કરવા માટેની પણ શરત રાખવામાં આવી છે જે શરતને દૂર કરીને તેઓને કાયમી ધોરણે પાસપોર્ટ પરત આપવામાં આવે તે માટે જયસુખભાઇ પટેલ દ્વારા અરજી કરવામાં આવી હતી. ત્યારે અગાઉ જયસુખભાઇ પટેલે તેમનો કોર્ટમાં જમા કરાવેલ પાસપોર્ટ કોર્ટમાંથી એક મહિના માટે પાછો મેળવ્યો હતો અને ત્યાર બાદ તેઓ વિદેશ ગયા ન હતા જેથી આ બાબત સહિતની બાબતોને ધ્યાને રાખીને જિલ્લાના સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલોને ધ્યાન રાખીને કોર્ટ દ્વારા હાલમાં જયસુખભાઇ પટેલ દ્વારા કરવામાં આવેલ અરજીને રદ કરવામાં આવી છે. તેવી માહિતી જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાની પાસેથી મળેલ છે.






Latest News