તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના રોહીદાસપરા ચોકમાં જુગાર રમતા ત્રણ શખ્સ પકડાયા


SHARE











મોરબીના રોહીદાસપરા ચોકમાં જુગાર રમતા ત્રણ શખ્સ પકડાયા

મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં રોહીદાસ પરા ચોકના ખાડા પાસે જુગારની રેડ કરી હતી ત્યારે ત્રણ શખ્સો જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૪૬૦ ની રોકડ કબ્જે કરીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં રોહીદાસ પરા ચોકના ખાડા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે કાસમભાઇ જાકમભાઇ કચ્ચા (ઉ.૩૨) રહે. વીસીપરા કુલીનગર-૨ કિસ્મત પાન પાસે, સંદિપભાઇ હિરાભાઇ ચાવડા (ઉ.૨૮) રહે. વીસીપરા લાયન્સનગર સતનામ એપાર્ટમેન્ટ વાળી શેરી અને દિલીપભાઇ કાનજીભાઇ બડઘા (ઉ.૩૩) રહે. રોહીદાસપરા શેરી નં.૩ રાધાકૃષ્ણ મંદિર પાસે મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી ૧૪૬૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેઓની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

વૃધ્ધનું મોત

માળીયા તાલુકાના હરિપર ગામે રહેતા મેરૂભાઈ મંગાભાઈ ભીમાણી જાતે કોળી (ઉંમર ૭૮)ને તારીખ ૩૦/૧૧ ના રોજ સવારે આઠેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે નીરણ નાખતા હતા ત્યારે કોઈ ઝેરી જનાવર કરડી જવાથી તેઓને સારવાર માટે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા અને ત્યાથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું છે. જેથી કરીને આ બનાવની માળિયા તાલુકા પોલીસ દ્વારા નોંધ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે






Latest News