મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના રોહીદાસપરા ચોકમાં જુગાર રમતા ત્રણ શખ્સ પકડાયા


SHARE











મોરબીના રોહીદાસપરા ચોકમાં જુગાર રમતા ત્રણ શખ્સ પકડાયા

મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં રોહીદાસ પરા ચોકના ખાડા પાસે જુગારની રેડ કરી હતી ત્યારે ત્રણ શખ્સો જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૪૬૦ ની રોકડ કબ્જે કરીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં રોહીદાસ પરા ચોકના ખાડા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે કાસમભાઇ જાકમભાઇ કચ્ચા (ઉ.૩૨) રહે. વીસીપરા કુલીનગર-૨ કિસ્મત પાન પાસે, સંદિપભાઇ હિરાભાઇ ચાવડા (ઉ.૨૮) રહે. વીસીપરા લાયન્સનગર સતનામ એપાર્ટમેન્ટ વાળી શેરી અને દિલીપભાઇ કાનજીભાઇ બડઘા (ઉ.૩૩) રહે. રોહીદાસપરા શેરી નં.૩ રાધાકૃષ્ણ મંદિર પાસે મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી ૧૪૬૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેઓની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

વૃધ્ધનું મોત

માળીયા તાલુકાના હરિપર ગામે રહેતા મેરૂભાઈ મંગાભાઈ ભીમાણી જાતે કોળી (ઉંમર ૭૮)ને તારીખ ૩૦/૧૧ ના રોજ સવારે આઠેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે નીરણ નાખતા હતા ત્યારે કોઈ ઝેરી જનાવર કરડી જવાથી તેઓને સારવાર માટે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા અને ત્યાથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું છે. જેથી કરીને આ બનાવની માળિયા તાલુકા પોલીસ દ્વારા નોંધ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે






Latest News