મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ દ્વારા સમૂહ ભોજનનું કરાયું આયોજન મોરબી જીલ્લામાં ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં હળવદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખે પક્ષમાંથી રાજીનામું આપ્યું સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજનું ૨૮ મુ મહાઅધિવેશન આગામી શનિ-રવિવારે રાજકોટમાં યોજાશે મોરબીમાં ખવાસ રજપૂત સમાજના તેજસ્વી છાત્રો અને સિધ્ધી મેળવનારા પ્રતિભાઓનો સન્માન સમરોહ યોજાયો: રાકેશભાઈ રાઠોડની નવા ટ્રસ્ટી તરીકે નિમણૂક મોરબી જીલ્લામાં નાર્કોટીક્સ શાખામાં PI સહિતના સ્ટાફની નિમણુક કરાઇ બીસ્માર રોડની પરાકાષ્ઠા : મોરબીના આમરણ નજીક ટ્રેલરનમાંથી કન્ટેઇનર પલ્ટી મારી ગયું..! મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલમોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા સરકારી સ્કૂલના બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

હળવદના રણજીતગઢ ગામના પાટિયા પાસે બાઇકમાંથી પડી જતાં ઇજા પામેલા વૃદ્ધનું મોત


SHARE





હળવદના રણજીતગઢ ગામના પાટિયા પાસે બાઇકમાંથી પડી જતાં ઇજા પામેલા વૃદ્ધનું મોત

હળવદના રણજીતગઢ ગામે રહેતા વૃદ્ધ બાઇક લઈને હળવદ માળિયા રોડ ઉપરથી પસાર થઈ રહ્યાં હતા દરમિયાન રણજીતગઢના પાટિયા નજીક બાઇકમાંથી પડી જવાના કારણે તેને શરીરે અને હાથના કાંડાના ભાગે ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસની જાણ કરવામાં આવી હતી

જાણવા મળતી વિગત મુજબ હળવદ તાલુકાના રણજીતગઢ ગામે રહેતા નાનજીભાઈ દેવજીભાઈ સોનાગ્રા (58) બાઈક લઈને હળવદ માળિયા હાઇવે રોડ પર આવેલ રણજીતગઢ ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ પણ કારણોસર તે બાઈક ઉપર થી પડી જતા તેને શરીરે તથા જમણા હાથના કાંડામાં ઇજા થઈ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે




Latest News