મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના નાનીવાવડી ગામે ઘરે સીડી ઉપરથી પડી જતાં ઇજા પામેલ આધેડનું મોત: રંગપર પાસે કારખાનામાં હાર્ટ એટેકથી યુવાનનું મોત


SHARE







મોરબીના નાનીવાવડી ગામે ઘરે સીડી ઉપરથી પડી જતાં ઇજા પામેલ આધેડનું મોત: રંગપર પાસે કારખાનામાં હાર્ટ એટેકથી યુવાનનું મોત

મોરબીના નાનીવાવડી ગામે રહેતા આધેડ પોતાના ઘરે સીડી ઉપરથી નીચે પડી ગયા હતા જેથી તેને માથામાં ગંભીર ઇજા થવાના કારણે તેનું મોત નીપજયું હતું જ્યારે રંગપર ગામની સીમમાં કારખાના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો યુવાન કારખાનામાં હતો દરમિયાન તેને હાર્ટ એટેક આવી જતા તે યુવાનનું મોત નીપજયું હતું આ બંને બનાવની તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી છે.

મોરબી તાલુકાના નાનીવાવડી ગામે રહેતા બીજલભાઇ છગનભાઈ મકવાણા (54) નામના આધેડ પોતે પોતાના ઘરે હતા ત્યારે સીડી ઉપરથી અકસ્માતે પડી જતા માથામાં ઇજા થવાના કારણે તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી જ્યારે મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ સ્પેન્ટાગોન સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા શશિભુવન સુખદેવ પટેલ (35) નામના યુવાનને હાર્ટ એટેક આવી જતા તેનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News