મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના નાનીવાવડી ગામે ઘરે સીડી ઉપરથી પડી જતાં ઇજા પામેલ આધેડનું મોત: રંગપર પાસે કારખાનામાં હાર્ટ એટેકથી યુવાનનું મોત


SHARE













મોરબીના નાનીવાવડી ગામે ઘરે સીડી ઉપરથી પડી જતાં ઇજા પામેલ આધેડનું મોત: રંગપર પાસે કારખાનામાં હાર્ટ એટેકથી યુવાનનું મોત

મોરબીના નાનીવાવડી ગામે રહેતા આધેડ પોતાના ઘરે સીડી ઉપરથી નીચે પડી ગયા હતા જેથી તેને માથામાં ગંભીર ઇજા થવાના કારણે તેનું મોત નીપજયું હતું જ્યારે રંગપર ગામની સીમમાં કારખાના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો યુવાન કારખાનામાં હતો દરમિયાન તેને હાર્ટ એટેક આવી જતા તે યુવાનનું મોત નીપજયું હતું આ બંને બનાવની તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી છે.

મોરબી તાલુકાના નાનીવાવડી ગામે રહેતા બીજલભાઇ છગનભાઈ મકવાણા (54) નામના આધેડ પોતે પોતાના ઘરે હતા ત્યારે સીડી ઉપરથી અકસ્માતે પડી જતા માથામાં ઇજા થવાના કારણે તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી જ્યારે મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ સ્પેન્ટાગોન સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા શશિભુવન સુખદેવ પટેલ (35) નામના યુવાનને હાર્ટ એટેક આવી જતા તેનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




Latest News