તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

હળવદમાં વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ દ્વારા રન ફોર હેલ્થનો કાર્યક્રમ યોજાયો


SHARE











હળવદમાં વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ દ્વારા "રન ફોર હેલ્થ" નો કાર્યક્રમ યોજાયો

મોરબીમાં તા.૨૨-૧૧ ના રોજ વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ હળવદ પ્રખંડ દ્વારા "રન ફોર હેલ્થ" નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.જેમાં અત્યારની ભારત દેશની વર્તમાન યુવા પેઢીને વિદેશી તાકાતો દ્વારા ખોખલા કરવાનું જે પૂરા ભારતની અંદર ષડયંત્ર ચાલેછે.તેના વિરોધમાં અને યુવાનોમાં જાગૃતિ લાવવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન બજરંગદળ દ્વારા પૂરા ભારતમાં કરવામા આવે છે.જેમાં હળવદ શહેરની સાંદિપની વિદ્યાલય,.એસ.પી.વિદ્યાલય, મંગલમ વિદ્યાલય, સરસ્વતી શિશુ મંદિર તેમજ મહર્ષિ ગુરુકુળના વિધાર્થીઓ તથા હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કાનાણી તેમજ હળવદ પોલીસ સ્ટાફ તથા વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ હળવદ પ્રખંડના કાર્યકર્તાઓ તેમજ વિવિધ રાજકીય, સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.અને સરસ્વતી શિશુ મંદિરથી દરબારનાકા થઈને ગામની મેઈન બજાર થઈ બ્રાહ્મણની ભોજનશાળા ખાતે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતુ.આ તકે હળવદ બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા કાર્યક્રમની સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવવામા આવી હતી.






Latest News