પ્રમુખ સ્વામી મહારાજના અવતરણદિન નિમિતે મોરબીમાં વિરાટ રક્તદાન યજ્ઞ યોજાશે મોરબીના શનાળા ઓવરબ્રિજ નજીક કારચાલકે બાઇકને હડફેટ લેતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં મોરબીના બગથળા ગામે ચક્કર આવ્યા હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત મોરબીના મકનસર પાસેથી દારૂની ૧૦૨ બોટલ પકડવાના ગુનામાં મહિલા સહિત કુલ ત્રણ આરોપી પકડાયા મોરબી : બી.આર.સી. ખાતે પ્રાથમિક વિભાગનો તાલુકા કક્ષાનો કલા ઉત્સવ યોજાયો મોરબીના બરવાળા ગામે યુવાનને ગાળો આપીને પાઇપ વડે માર માર્યો મોરબીના બંધુનગર પાસે રોડ ક્રોસ કરવા ઉભેલા યુવાન ઉપર ક્રેન પડી !: ટ્રક ચાલકે અકસ્માત સર્જતા ઇજા પામેલ બે વ્યક્તિ સારવારમાં મોરબીના નવા સાદુળકા ગામ પાસે ત્રીપલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીના ખરેડા ગામે આવેલ આર.બી.પટેલ-એલ.જી. મહેતા હાઇસ્કૂલ ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું


SHARE















મોરબીના ખરેડા ગામે આવેલ આર.બી.પટેલ-એલ.જી. મહેતા હાઇસ્કૂલ ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું

રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓમાં ગણિત-વિજ્ઞાન જેવા વિષયોમાં રસ રુચી વધે તથા વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને પ્રેરણા અને પ્રોત્સાહન પુરૂ પાડી શકાય તથા પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે તે માટે "બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન" નું શાળા વિકાસ સંકુલ કક્ષાએ આયોજન કરવામાં આવે છે. દરમ્યાન શ્રી આર.બી.પટેલ-એલ.જી. મહેતા હાઇસ્કૂલ, ખરેડા ખાતે શ્રીમદ રાજચંદ્ર શાળા વિકાસ સંકૂલ, મોરબી દ્વારા બાળ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું

શ્રીમદ રાજચંદ્ર શાળા વિકાસ સંકૂલ, મોરબીના કન્વીનર સંજીવભાઈ જાવિયાએ જણાવ્યુ હતું કે, G.C.E.R.T. ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન મોરબી તરફથી આ વર્ષના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં જુદા જુદા પાંચ વિભાગ રાખવામાં આવેલ છે જેમાં મુખ્ય વિષય "STEM FOR VIKSIT AND ATMANIRBHAR BHARAT" હતો. જે અનુસંધાને ગત ગુરુવારના રોજ આર.બી. પટેલ-એલ.જી. મહેતા હાઇસ્કૂલ-ખરેડા ખાતે શ્રીમદ રાજચંદ્ર શાળા વિકાસ સંકૂલ, મોરબીના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાંથી કુલ 26 કૃતિમાં કુલ 52  વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો, દરેક વિભાગમા ભાગ લેનાર તમામ બાળ વૈજ્ઞાનિકોને પ્રમાણપત્ર અને ઇનામ આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા. આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં દરેક વિભાગમાં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓની કૃતિ હવે પછી જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં ભાગ લેશે. આ પ્રદર્શનમાં 2 નિવૃત શિક્ષક બી.એમ.ફુલતરિયા અને એમ.એચ.વડાવિયા નિર્ણાયક તરીકે કામગીરી કરી હતી. આ પ્રદર્શન નિહાળવા અલગ અલગ સ્કૂલના અંદાજે 280 વિદ્યાર્થીઓ આવ્યા હતા અને બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ખરેડા ગામના અગ્રણીઓ અને સ્કૂલના ટ્રસ્ટીઓ આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની સંપૂર્ણ વ્યવસ્થા શાળાના આચાર્ય ઘનશ્યામભાઈ એમ. કુંડારિયા તથા તમામ શાળા પરિવાર દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન એસવીએસ કન્વીનર સંજીવભાઈ જાવિયા દ્વારા કરવામાં આવ્યું હતું.






Latest News