મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

પંખી પ્રેમમાં વિવેક કેળવીએ : મોરબીમાં પક્ષીઓને ચણને બદલે નંખાતો રાંધેલો ખોરાક, તળેલા ફરસાણ ગાંઠિયા-સેવ કે મીઠાઈ નુકશાનકારક


SHARE













પંખી પ્રેમમાં વિવેક કેળવીએ : મોરબીમાં પક્ષીઓને ચણને બદલે નંખાતો રાંધેલો ખોરાક, તળેલા ફરસાણ ગાંઠિયા-સેવ કે મીઠાઈ નુકશાનકારક

મોરબીમાં ખીસકોલીવાળા તરીકે જાણીતા પર્યાવરણ પ્રેમી મિત્ર જીતુભાઇ ઠક્કર સૌપંખી પ્રેમીઓને પંખીને અપાતા ખોરાક વિશે સાવચેત કરતાં જણાવે છે કે, આજકાલ અને વિશેષ તો શહેરોમાં પંખીઓને ચણ (અનાજ) ખવડાવવાની આપણી મૂળ સાંસ્કૃતિક પરંપરાને આગળ ધપાવવાને બદલે લોકો અનાજની જગ્યાએ વાસી રાંધેલો ખોરાક, તળેલા ફરસાણ જેવા કે ગાંઠિયા-સેવ કે મીઠાઈ જેવી વસ્તુઓ પંખીઓને ખવડાવી રહ્યા છે.આ આદત સંપૂર્ણપણે નુકશાનકર્તા અને પક્ષીઓના આરોગ્ય માટે ખતરો છે.જીતુભાઇએ પણ નોંધે છે કે શંકર આશ્રમ સહિત પક્ષીઓની એકઠા થવાની અનુકૂળ જગ્યાઓએ ચણ અને આવાં અયોગ્ય ખોરાક ખુબ મોટી માત્રામાં લોકો નાંખી જાય છે.જે લાંબો સમય પડ્યા રહેવાથી ઝાકળ, વરસાદ, ધૂળ વગેરેને કારણે કોહવાઈ જાય છે અને બાદમાં તેને પંખીઓ ખાઇ છે અને બીમારી અને ક્યારેક મોતનું પણ કારણ બને છે.શિયાળામાં આપણે ત્યાં સિગલ બર્ડ અને રોઝી પેસ્ટર જેવા યાયાવર પંખીઓ પણ આવતા થયા છે.ત્યારે આપણે પંખીઓને ક્યાં, કેટલી માત્રામાં અને કેવો ખોરાક આપવો જોઈએ તે બાબત સૌ જાગૃતિ કેળવીએ અને એ રીતે ખોરાકનો બગાડ  અટકાવીએ અને પંખીઓને માંદા પડતા પણ અટકાવીએ તેવી સૌને આગ્રહભરી વિનંતી છે.આ બાબત વધુ વિગતો માટે જીતુભાઇને મો.૯૨૨૮૫ ૮૩૭૪૩ ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. 




Latest News