પ્રમુખ સ્વામી મહારાજના અવતરણદિન નિમિતે મોરબીમાં વિરાટ રક્તદાન યજ્ઞ યોજાશે મોરબીના શનાળા ઓવરબ્રિજ નજીક કારચાલકે બાઇકને હડફેટ લેતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં મોરબીના બગથળા ગામે ચક્કર આવ્યા હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત મોરબીના મકનસર પાસેથી દારૂની ૧૦૨ બોટલ પકડવાના ગુનામાં મહિલા સહિત કુલ ત્રણ આરોપી પકડાયા મોરબી : બી.આર.સી. ખાતે પ્રાથમિક વિભાગનો તાલુકા કક્ષાનો કલા ઉત્સવ યોજાયો મોરબીના બરવાળા ગામે યુવાનને ગાળો આપીને પાઇપ વડે માર માર્યો મોરબીના બંધુનગર પાસે રોડ ક્રોસ કરવા ઉભેલા યુવાન ઉપર ક્રેન પડી !: ટ્રક ચાલકે અકસ્માત સર્જતા ઇજા પામેલ બે વ્યક્તિ સારવારમાં મોરબીના નવા સાદુળકા ગામ પાસે ત્રીપલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબી જલારામ ધામ ખાતે સુપ્રસિધ્ધ ભજન કલાકાર અશોકભાઈ ભાયાણીએ દર્શનનો લાભ લીધો


SHARE















મોરબી જલારામ ધામ ખાતે સુપ્રસિધ્ધ ભજન કલાકાર અશોકભાઈ ભાયાણીએ દર્શનનો લાભ લીધો

મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં રામ નામ કે હીરે મોતીફેઈમ સુપ્રસિધ્ધ ભજન કલાકાર અશોકભાઈ ભાયાણીએ ઉપસ્થિત રહી પોતાના હસ્તે ભોજન પીરસ્યુ હતું અને ધન્યતા અનુભવી હતી.

મોરબી જલારામ ધામ ખાતે બંને ટાઈમ સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવા માં આવે છે ત્યારે આજ રોજ રામ નામ કે હીરે મોતીફેઈમ સુપ્રસિધ્ધ ભજનિક અશોકભાઈ ભાયાણી મોરબી જલારામ ધામ ખાતે આવ્યા હતા અને જલારામ બાપાની કૃપા અને પ્રેરણાથી ચાલતા સદાવ્રતમાં પોતાના હસ્તે પ્રસાદ વિતરણ કરી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી ધન્યતા અનુભવી હતી. આ તકે અશોકભાઈ ભાયાણીએ મોરબી જલારામ ધામ દ્વારા કોઈપણ પ્રકારના નાત-જાતના ભેદભાવ વિના ચાલતી વિવિધ સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી હતી તેમજ મોરબી જલારામ ધામના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણીને શુભકામનાઓ પાઠવી હતી તેમજ તેમના સ્વાસ્થ્ય અંગે જલારામ બાપાના ચરણોમાં પ્રાર્થના કરી હતી.






Latest News