મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ મોરબીમાં મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે રહેતા યુવાને ધંધામાં ખોટ જતા વ્યાજે લીધેલા 15.30 લાખ વસૂલવા ધાક ધમકી: પાંચ શખ્સો સામે ફરિયાદ


SHARE













હળવદના ચરાડવા ગામે રહેતા યુવાને ધંધામાં ખોટ જતા વ્યાજે લીધેલા 15.30 લાખ વસૂલવા ધાક ધમકી: પાંચ શખ્સો સામે ફરિયાદ

હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા યુવાનને ધંધામાં ખોટ ગઈ હોવાના કારણે તેને અલગ અલગ પાંચ વ્યક્તિઓ પાસેથી કુલ મળીને 15.30 લાખ રૂપિયા ઉંચા વ્યાજે લીધા હતા અને તે વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને યુવાન પાસેથી એક શખ્સે એસબીઆઇ બેન્કના સહીવાળા કોરા ચેક સિક્યુરિટી પેટે લઈ લીધા હતા અને વ્યાજખોરો દ્વારા યુવાનને ધાક ધમકીઓ આપવામાં આવતી હતી જેથી માનસિક ત્રાસથી કંટાળીને યુવાન ઘર છોડીને જવા માટે મજબૂર બન્યો હતો ત્યારબાદ હાલમાં યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદના ચરડવા ગામે રહેતા કાળુભાઈ ઉર્ફે નાગજી રૈયાભાઈ ગમારા (25) એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભૂપેન્દ્રસિંહ ઝાલા, જયરાજભાઈ રાજેશભાઈ પઢીયાર, ધરમભારથી ભરતભારથી, પ્રતિકભાઇ મહેશભાઈ ગોસ્વામી અને દિપકભાઈ જગદીશભાઈ બાવાજી રહે. બધા ચરાડવાવાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે આજથી એકાદ વર્ષ પહેલાં તેને ધંધામાં ખોટ આવતા પાંચે આરોપીઓ પાસેથી અલગ અલગ સમયે આજે 15.30 લાખ રૂપિયા ઉંચા વ્યાજે લીધા હતા તેના વ્યાજની કડક ઉઘરાણી કરવામાં આવતી હતી અને જયરાજભાઈ પઢિયારે ફરિયાદી પાસેથી એસબીઆઇ બેન્કના સહીવાળા કોરા ચેક સિક્યુરિટી પેટે લઈ લીધા હતા અને પાંચેય આરોપીઓ દ્વારા વ્યાજની કડક ઉઘરાણી કરીને ધાક ધમકી આપી માનસિક ત્રાસ ફરિયાદીને દેવમાં આવતો હતો જેથી યુવાન ઘર છોડવા માટે મજબૂર બન્યો હતો અને આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરીયાદ આધારે પોલીસે પાંચેય શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તાજીવીજ શરૂ કરેલ છે




Latest News