મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન વાંકાનેરના વઘાસિયા ટોલનાકા ઉપર સ્ટાફ સાથે ઝઘડો કરીને ટોલ ભર્યા વગર વાહન કઢાવીને ધમકી આપનાર બે શખ્સો સામે ફરિયાદ
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે રહેતા યુવાને ધંધામાં ખોટ જતા વ્યાજે લીધેલા 15.30 લાખ વસૂલવા ધાક ધમકી: પાંચ શખ્સો સામે ફરિયાદ


SHARE











હળવદના ચરાડવા ગામે રહેતા યુવાને ધંધામાં ખોટ જતા વ્યાજે લીધેલા 15.30 લાખ વસૂલવા ધાક ધમકી: પાંચ શખ્સો સામે ફરિયાદ

હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા યુવાનને ધંધામાં ખોટ ગઈ હોવાના કારણે તેને અલગ અલગ પાંચ વ્યક્તિઓ પાસેથી કુલ મળીને 15.30 લાખ રૂપિયા ઉંચા વ્યાજે લીધા હતા અને તે વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને યુવાન પાસેથી એક શખ્સે એસબીઆઇ બેન્કના સહીવાળા કોરા ચેક સિક્યુરિટી પેટે લઈ લીધા હતા અને વ્યાજખોરો દ્વારા યુવાનને ધાક ધમકીઓ આપવામાં આવતી હતી જેથી માનસિક ત્રાસથી કંટાળીને યુવાન ઘર છોડીને જવા માટે મજબૂર બન્યો હતો ત્યારબાદ હાલમાં યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદના ચરડવા ગામે રહેતા કાળુભાઈ ઉર્ફે નાગજી રૈયાભાઈ ગમારા (25) એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભૂપેન્દ્રસિંહ ઝાલા, જયરાજભાઈ રાજેશભાઈ પઢીયાર, ધરમભારથી ભરતભારથી, પ્રતિકભાઇ મહેશભાઈ ગોસ્વામી અને દિપકભાઈ જગદીશભાઈ બાવાજી રહે. બધા ચરાડવાવાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે આજથી એકાદ વર્ષ પહેલાં તેને ધંધામાં ખોટ આવતા પાંચે આરોપીઓ પાસેથી અલગ અલગ સમયે આજે 15.30 લાખ રૂપિયા ઉંચા વ્યાજે લીધા હતા તેના વ્યાજની કડક ઉઘરાણી કરવામાં આવતી હતી અને જયરાજભાઈ પઢિયારે ફરિયાદી પાસેથી એસબીઆઇ બેન્કના સહીવાળા કોરા ચેક સિક્યુરિટી પેટે લઈ લીધા હતા અને પાંચેય આરોપીઓ દ્વારા વ્યાજની કડક ઉઘરાણી કરીને ધાક ધમકી આપી માનસિક ત્રાસ ફરિયાદીને દેવમાં આવતો હતો જેથી યુવાન ઘર છોડવા માટે મજબૂર બન્યો હતો અને આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરીયાદ આધારે પોલીસે પાંચેય શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તાજીવીજ શરૂ કરેલ છે






Latest News