મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં લહેરૂ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અભિનેતા ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ માટે ગુરૂવારે કાર્યક્રમ યોજાશે


SHARE













મોરબીમાં લહેરૂ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અભિનેતા ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ માટે ગુરૂવારે કાર્યક્રમ યોજાશે

દેશના સૌથી લોકપ્રીય અભિનેતા ધર્મેન્દ્રનું અવસાન થયેલ છે જેથી તેમના કરોડો ચાહકો શોકમગ્ન થયા છે.ત્યારે ધર્મેન્દ્રને તેના ચાહકો અલગ-અલગ રીતે શ્રધ્ધાંજલી આપી રહ્યા છે.જેમાં મોરબીમાં ગીત સંગીત કાર્યક્રમ દ્વારા સંગીતપ્રેમી અભિનેતા ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે.


જાણવા મળતી માહિતી મુજબ અહીંના લહેરૂ એજ્યુકેશન ટ્રસ્ટ-મોરબી દ્વારા સ્વ.ધર્મેન્દ્રજીને શ્રદ્ધાંજલિ આપવા માટે આગામી તા. ૨૭-૧૧ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે મહાવીર સોસાયટીના સાર્વજનિક મેદાન નવા બસ સ્ટેશનની સામેની શનાળા રોડેથી રવાપર રોડ જતી શેરી મોરબી ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.ધર્મેન્દ્રજીના ચાહક એવા ડો.બી.કે.લહેરૂ તથા મોરબીની સમગ્ર જનતા તરફથી શ્રદ્ધાંજલિ આપવા આ ગીત-સંગીત કાર્યક્રમ યોજાશે.જેમાં ધર્મેન્દ્રજીની સ્મૃતિમાં તેમની ફિલ્મોના ગીત મોરબીના જાણીતા નૌશાદ મીર અને સુરસંગમ તથા વિક્ટર મેલોડી દ્વારા રજુ કરવામાં આવશે.






Latest News