મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

ટંકારા તાલુકામાં સ્ટેટ હાઇવેથી ધ્રોલિયાને જોડતા એપ્રોચ રોડનું રીસર્ફેસિંગ કામ શરૂ


SHARE













ટંકારા તાલુકામાં સ્ટેટ હાઇવેથી ધ્રોલિયાને જોડતા એપ્રોચ રોડનું રીસર્ફેસિંગ કામ શરૂ

મોરબી જિલ્લામાં રોડ રસ્તા સુધારણા કામગીરીના ભાગરૂપે માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના ટંકારા તાલુકાના ધ્રોલિયા ગામથી સ્ટેટ હાઇવે એપ્રોચ રોડની રીસર્ફેસિંગ કામગીરી પ્રગતિ હેઠળ છે. ટૂંક સમયમાં આ રોડના નવીનીકરણની કામગીરી પૂર્ણ થતા ગ્રામ્ય લોકોને સુવિધાસભર પરિવહન સેવા પ્રાપ્ત થશે.

મોરબી જિલ્લામાં હાલ અનેક રોડ રસ્તાના નવીનીકરણની કામગીરી માર્ગ અને મકાન વિભાગ પંચાયત અને સ્ટેટ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે ટંકારા તાલુકામાં ધ્રોલિયા ગામથી સ્ટેટ હાઇવે ને જોડતા ગ્રામ્ય માર્ગનું નવીનીકરણ કામ હાથ ધરવામાં આવ્યું છે. આ રોડની નિયત સમયમર્યાદા પૂર્ણ થતા સરકારની મંજૂરી બાદ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળના આ રોડ પર ડામરના નિયત સ્તર સાથે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે જે કામગીરી એક સપ્તાહ ની અંદર પૂર્ણ થઈ જશે જેથી ટુંક જ સમયમાં ગ્રામજનોને સુવિધાસભર પરિવહન નો લાભ મળશે.

આગામી ૨૮ નવેમ્બરના યોજનાર જિલ્લા સંકલન બેઠક મોકુફ રખાઈ

મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક આગામી ૨૮/૧૧/૨૦૨૫ ના રોજ યોજાનાર હતી, જે બેઠક હાલ મોકોફ રાખવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ૨૭/૧૧/૨૯૨૫ થી ૨૯/૧૧/૨૦૨૫ દરમિયાન મુ. ધરમપુર, જિલ્લો: વલસાડ ખાતે ૧૨ મી ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેના કારણે આગામી સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક મોકુફ રાખવામાં આવી છે.




Latest News