મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં યોજાયેલ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાંથી 90 વિદ્યાર્થીઓએ રજુ કરી 44 કૃતિ


SHARE











મોરબીમાં યોજાયેલ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાંથી 90 વિદ્યાર્થીઓએ રજુ કરી 44 કૃતિ

રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓમાં ગણિત–વિજ્ઞાન જેવા અઘરા ગણાતા વિષયોમાં રસ રુચી વધે, વિદ્યાર્થીઓમાં નવી વિચાર શક્તિ ખીલે તેમજ વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને પ્રેરણા અને પ્રોત્સાહન પુરૂ પાડી શકાય તથા પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે, નવું નવું જાણવા મળે અને નવું નવું શીખવા મળે તે હેતુથી "બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન" નું શાળા વિકાસ સંકુલ કક્ષાએ આયોજન કરવામાં આવે છે.

વર્ષ 2025-26ના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં જુદા જુદા પાંચ વિભાગ રાખવામાં આવેલ હતુ જેનો મુખ્ય વિષય Science and Technology for Sustainable Future હતો. તાજેતરમાં શ્રી શંકરલાલ શાસ્ત્રી શાળા વિકાસ સંકૂલ, મોરબીના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાંથી કુલ 44 કૃતિમાં કુલ 90 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો, દરેક વિભાગમા ભાગ લેનાર તમામ બાળ વૈજ્ઞાનિકોને  પ્રમાણપત્ર અને શિલ્ડ આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા. આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં  દરેક વિભાગમાં  પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓની કૃતિ  હવે પછી જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં ભાગ લેશે.આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન એસ. વી. એસ. કન્વીનર અતુલભાઈ પાડલિયા તથા સહ કન્વીનર રાજેશભાઈ ચનીયરા દ્વારા કરવામાં આવ્યું હતું






Latest News