પ્રમુખ સ્વામી મહારાજના અવતરણદિન નિમિતે મોરબીમાં વિરાટ રક્તદાન યજ્ઞ યોજાશે મોરબીના શનાળા ઓવરબ્રિજ નજીક કારચાલકે બાઇકને હડફેટ લેતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં મોરબીના બગથળા ગામે ચક્કર આવ્યા હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત મોરબીના મકનસર પાસેથી દારૂની ૧૦૨ બોટલ પકડવાના ગુનામાં મહિલા સહિત કુલ ત્રણ આરોપી પકડાયા મોરબી : બી.આર.સી. ખાતે પ્રાથમિક વિભાગનો તાલુકા કક્ષાનો કલા ઉત્સવ યોજાયો મોરબીના બરવાળા ગામે યુવાનને ગાળો આપીને પાઇપ વડે માર માર્યો મોરબીના બંધુનગર પાસે રોડ ક્રોસ કરવા ઉભેલા યુવાન ઉપર ક્રેન પડી !: ટ્રક ચાલકે અકસ્માત સર્જતા ઇજા પામેલ બે વ્યક્તિ સારવારમાં મોરબીના નવા સાદુળકા ગામ પાસે ત્રીપલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબી નજીક પેપર મિલમાં લાગેલ આગથી થયેલ નુકશાન સામે વ્યાજ સહિત 3.30 કરોડ ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ


SHARE















મોરબી નજીક પેપર મિલમાં લાગેલ આગથી થયેલ નુકશાન સામે વ્યાજ સહિત 3.30 કરોડ ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ

મોરબી નજીક નેક્ષા પેપર્સ એલ.એલ.પી. માં લાગેલ આગનો વીમો ન્યુ ઇન્ડીયા ઇન્સ્યોરન્સનો હોઈ વીમા કંપનીને તમામ કાગળો રજુ કરેલ છતા વીમા કંપનીએ વીમો આપવાની ના પાડી હતી જેથી મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્રારા ગ્રાહક અદાલત માં કેસ દાખલ કરતાં અદાલતે ૨,૮૫,૦૫,૧૧૭ નો તા. ૦૪/૦૧/૨૦૨૪ થી ૬ ટકા ના વ્યાજ સાથે ૩,૩૦,૦૦,૦૦૦ નો વીમો ચુકવવા આદેશ કરેલ છે.

આ કેઇસની વિગત એવી છે કે કિશનભાઈ મગનભાઈ ઝાલાવાડીયા નેક્ષા પેપર્સ એલ.એલ.પી. ના ભાગીદાર હોય તેની ફેકટરી માં તા.:-૨૦/૦૩/૨૦૨૨ માં રાત્રે આગ લાગેલ આશરે ચાર કરોડ ઉપર નુકશાન થયેલ હતું તેમણે ધ ન્યુ ઇન્ડીયા ઇન્સ્યુરન્સનો વીમો લીધો હતો તેણે સમય મર્યાદા માં તમામ કાગળો વીમા કંપનીમાં રજુ કરી આપેલ હતા ત્યાર બાદ વીમા કંપનીએ રેપ્યુડ લેટર થી જણાવી આપેલ કે તમારી નુકશાનીની રકમ ખોટી છે તમે વીમાને માટે હકદાર નથી ઓડીટરી રીપોર્ટમાં સ્ટોક સબંધે કોઈ સામાકારણો નથી માટે પુરાવાના અભાવે વીમો મળે નહી આ અંગે કિશનભાઈએ મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષાના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા અદાલતમાં કેઇસ દાખલ કરેલ હતો અને અદાલતે વીમા કંપનીને જણાવ્યું કે ગ્રાહકે વીમા નું પ્રીમીયમ ભરેલ છે ૨૦૨૧-૨૨ નાં સી.એ રીપોર્ટ આપેલ છે આમા માલની વિગત આપી છે અને પોલીસ ફરિયાદ માં ૮૦ ટકા માલને નુકશાન કરેલ છે તેવુ દર્શાવે છે સરવૈયર પોતાનો રીપોર્ટ એક મહીનામાં રજુ કરવાનો હોય તેમણે એક વર્ષ પછી રજુ કરેલ છે. વીમા કંપની ની સેવામાં ખામી હોઈ તેમજ રેપ્યુડેશનમાં જણાવેલ કારણો માન્ય કરવામાં આવતા નથી માટે વીમા કંપનીને કિશનભાઈ ને રૂપિયા ૨,૮૫,૦૫,૧૧૭ નો તા. ૪-૧-૨૪ થી ૬ ટકા ના વ્યાજ સાથે ૩,૩૦,૦૦,૦૦૦ નો વીમો ચુકવવા આદેશ કરેલ છે.






Latest News