મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

અયોધ્યામાં રામ મંદિર ઉપર ધર્મ ધ્વજા લહેરાતા મોરબીમાં હિન્દુ સંગઠનો દ્વારા કરાઇ આતિશબાજી


SHARE











અયોધ્યામાં રામ મંદિર ઉપર ધર્મ ધ્વજા લહેરાતા મોરબીમાં હિન્દુ સંગઠનો દ્વારા કરાઇ આતિશબાજી

મોરબીના નગરદરવાજા ચોકમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ, માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા આતિશબાજી કરીને અયોધ્યામાં રામ મંદિર ઉપર ધર્મ ધ્વજા લહેરાવવામાં આવી તેની ઉજવણી કરવામાં આવી હતી અને આ ધર્મ ધ્વજા ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવા માટેનું પ્રથમ પગલું છે. તેવું ત્યાં હાજર રહેલા આગેવાનો કહ્યું હતું.

અયોધ્યા ખાતે રામજન્મભૂમિ તીર્થક્ષેત્રમાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના શિખર ઉપર ધર્મ ધ્વજા તા. 25/11/25 ના રોજ લહેરાવવામાં આવી રહી હતી. આ ધર્મ ધ્વજા ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવા માટેનું પ્રથમ પગલું છે. અને રામ મંદિરના 500 વર્ષ જૂના ઇતિહાસ પછી જ્યારે ભવ્ય રામ મંદિર નિર્માણનું કાર્ય પૂર્ણ થઈ ગયુ છે અને મંદિર ઉપર ધર્મ ધ્વજા લહેરવામાં આવેલ છે. ત્યારે તેની ઉજવણીના ભાગરૂપે તા. 26/11 ને બુધવારના રોજ મોરબીમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ, માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા નગરદરવાજા ચોકમાં એક કલાક સુધી ફટાકડા ફોડી આતશબાજી કરવામાં આવી હતી આટલું જ નહીં પરંતુ એક મેકના મોઢા મીઠા કરાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોરબીની હિન્દુ ધર્મપ્રેમી જનતા સહિતના લોકો જોડાયા હતા.






Latest News