પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય દિન નિમિતે મોરબીમાં વિરાટ રક્તદાન યજ્ઞ યોજાશે મોરબીના શનાળા ઓવરબ્રિજ નજીક કારચાલકે બાઇકને હડફેટ લેતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં મોરબીના બગથળા ગામે ચક્કર આવ્યા હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત મોરબીના મકનસર પાસેથી દારૂની ૧૦૨ બોટલ પકડવાના ગુનામાં મહિલા સહિત કુલ ત્રણ આરોપી પકડાયા મોરબી : બી.આર.સી. ખાતે પ્રાથમિક વિભાગનો તાલુકા કક્ષાનો કલા ઉત્સવ યોજાયો મોરબીના બરવાળા ગામે યુવાનને ગાળો આપીને પાઇપ વડે માર માર્યો મોરબીના બંધુનગર પાસે રોડ ક્રોસ કરવા ઉભેલા યુવાન ઉપર ક્રેન પડી !: ટ્રક ચાલકે અકસ્માત સર્જતા ઇજા પામેલ બે વ્યક્તિ સારવારમાં મોરબીના નવા સાદુળકા ગામ પાસે ત્રીપલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

ટંકારાના ડેમી–૧ ડેમના તૂટી ગયેલ ગેઈટ રીપેર કરવા અને સૌની યોજના સાથે જોડવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE















ટંકારાના ડેમી૧ ડેમના તૂટી ગયેલ ગેઈટ રીપેર કરવા અને સૌની યોજના સાથે જોડવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબીના જીલ્લાના ટંકારા તાલુકામાં આવેલા ડેમી૧ ડેમના ગેઈટ તૂટી ગયેલ છે તેને રીપેર કરવામાં આવે અથવાતો ત્યાં સિમેન્ટ કોંકરેટની દીવાલ કરીને પાણીનો સ્ટોરેજ વધે તેવું કામ કરવાની માંગ કરેલ છે તેમજ ડેમી-૧ ડેમને સૌની યોજના સાથે જોડવામાં આવે અને તેમાં નર્મદાનું પાણી નાખવામાં આવે તેવી  આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના જોઈન્ટ સેક્રેટરીએ મુખ્ય મંત્રીને રજૂઆત કરેલ છે.

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના જોઈન્ટ સેક્રેટરી કાંતિલાલ ડી. બાવરવામુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, ટંકારા તાલુકાના મીતાણા ગામ પાસે આવેલ ડેમી૧ સિંચાઈ યોજનાનો ડેમ આવેલ છે. આ ડેમ ઉપર નાખવામાં આવેલ ગેઇટ છેલ્લા ત્રણ વર્ષથી તૂટી ગયેલ છે. આ ગેઇટ હજુ સુધી રીપેર કરવામાં આવેલ નથી. જેથી કરીને ગેઇટની હયાતી હોય તો ડેમમાં પાણીનો સ્ટોરેજ વધારે થઇ શકે છે અને તેનો લાભ કમાંડ વિસ્તારના ખેડૂતોને સિંચાઈ પાણી માટે મળે છે જેથી તૂટી ગયેલ ગેઇટને તાત્કાલિક રીપેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે. ઉલેખનીય છે કે, આ બાબતે ખેડૂતો દ્વારા અવાર નવાર રજુઆતો કરવામાં આવેલ છે તો પણ હજુ સુધી કોઈ જાતનું કામ કરવામાં આવ્યું નથી. જેથી કરીને આગામી ચોમાસા પહેલા ગેઇટની જગ્યાએ સિમેન્ટ કોન્ક્રીટથી દીવાલ બનાવીને ડેમને તેટલો ઉચો બનાવવામાં આવે અથવા તો તૂટે નહીં તેવા સારા ગેઇટ નાખવામાં આવે તેવી તેવી રજૂઆત કરેલ છે. આ ઉપરંત જેમ ડેમી-૨ ને નર્મદાની સૌની યોજનાની પાઈપ લાઈનથી ભરવાની જોગવાઈ કરેલ છે તેમજ ડેમી-૧ ને પણ સૌની યોજના સાથે જોડવામાં આવે તેવી માંગ કરેલ છે. અને જો તેઓની રજૂઆતને ધ્યાને લઈને કામ નહીં કરવામાં આવે તો સ્થાનિક ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે અંદોલનાંત્મક કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારી છે.






Latest News