મોરબીની નીલકંઠ સોસાયટીમાં રહેતા યુવાને ઘરમાં ન કરવાનું કરી નાખ્યું
SHARE
મોરબીની નીલકંઠ સોસાયટીમાં રહેતા યુવાને ઘરમાં ન કરવાનું કરી નાખ્યું
મોરબીમાં ત્રાજપર પાસે આવેલ નીલકંઠ સોસાયટીમાં રહેતા યુવાને કોઈ કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં ત્રાજપર પાસે આવેલ નીલકંઠ સોસાયટીમાં રહેતા સુરજભાઈ રાજુભાઈ મેસરીયા (25) નામના યુવાને કોઈપણ કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું ઘટના સ્થળે મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાર બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી અને યુવાને કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં આગળની તપાસ એ.એન. ઝાપડિયા ચલાવી રહ્યા છે
યુવાન સારવારમાં
મોરબીના માણેકવાડા ગામે રહેતા મુકેશભાઈ રતનસિંહ મેડા (22) નામના યુવાનને મોટીવાવડી પાસે ટ્રક પલટી મારી જવાને કારણે અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.
યુવાન સારવારમાં
મોરબીના ટિંબડી ગામ પાસે આવેલ વીએસવી ટ્રાન્સપોર્ટની ઓફિસ ખાતે રહેતા આકાશ દિનેશચંદ્ર મિસ્ત્રી (21) નામના યુવાને મોરબીના ઘુટુ રોડ ઉપર આવેલ સિમ્પોલો સિરામિક સામે કોઈ કારણોસર દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









