મોરબીના ધૂળકોટ પાસે વાડી પાસે બેસી ગયેલ વૃદ્ધનું મોત
SHARE
મોરબીના ધૂળકોટ પાસે વાડી પાસે બેસી ગયેલ વૃદ્ધનું મોત
મોરબી તાલુકાના ધૂળકોટ રહેતા વૃદ્ધ રાતના સમયે વાડીના છેડા પાસે બેસી ગયા હતા અને ત્યાં સ્થળ ઉપર જ તેમનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ધૂળકોટ ગામે રહેતા ગોરધનભાઈ વીરસીંગભાઇ વાઘેલા (60) નામના વૃદ્ધ ગઈકાલે સીમમાં આવેલ મનહરભાઈ ચૌહાણની વાડીએ ગયા હતા અને આમરણથી ધુળકોટ વચ્ચે ભરતભાઈ કાસુન્દ્રાની વાડીના છેડે ચાલતા ચાલતા જતા હતા ત્યારે અચાનક તેઓ બેસી ગયા હતા અને સ્થળ ઉપર તેઓનું મોત નિપજ્યું હતું જેથી તાત્કાલિક તેઓને મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ફરજ પરના ડોક્ટરે તેમને તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતમાં ઇજા
મૂળ લખતર તાલુકાના આદલસર ગામના રહેવાસી કાંતિભાઈ કરસનભાઈ મહુડીયા (35) નામનો યુવાન મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ વૈભવ હોટલ પાસેથી બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકની આડે કૂતરું આવ્યું હતું જેથી બાઇક સ્લીપ થતાં અકસ્માત થયો હતો અને આ બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનવાની પોલીસને જાણ કરવામાં આવી છે.









