મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ખાખરળા પાસે આવેલ શેડમાંથી 4.50 લાખના 150 મણ જીરૂની ચોરી


SHARE











મોરબીના ખાખરળા પાસે આવેલ શેડમાંથી 4.50 લાખના 150 મણ જીરૂની ચોરી

મોરબીના ખાખરળા ગામે રહેતા ખેડૂતે પોતાનો જીરુંનો પાક આવ્યા બાદ તેને ગામની સીમમાં આવેલ બંધ પડેલી ઓઇલ મીલના શેડમાં મૂક્યો હતો ત્યાંથી 150 મણ જીરૂના જથ્થાની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવે છે જેથી 4,50,000 ની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની ભોગ બનેલ આધેડે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 

મૂળ મોરબી તાલુકાના પીપળીયા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા હસમુખભાઈ લખમણભાઇ કોઠીયા (55)અજાણ્યા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે મોરબીના ખાખરાળા ગામે આવેલી તેઓની જમીન તથા ભાગવી રાખેલ જમીનમાં તેઓએ જીરુંનો પાક લીધો હતો અને જીરૂનો તૈયાર જથ્થો તેઓની પાસે રાખવા માટેની સગવડ ન હોવાથી તેમણે સાહેભગવાનજીભાઇ ભવાનભાઇ સદાતીયા રહે. હાલ મોરબી વાળાની બંધ પડેલ વિષ્ણુ ઓઇલમીલના શેડમાં રાખ્યો હતો અને ત્યાંથી 150 મણ જીરૂના જથ્થાની ચોરી કરવામાં આવેલ છે જેથી 4.50 લાખ રૂપિયાની કિંમતના જીરૂની ચોરી થઈ હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

મહિલા સારવારમાં

હળવદના દેવીપુર ગામે રહેતા અનસોયાબેન અરજણભાઈ સોનાગ્રા (53) નામના મહિલા બાઇકમાં બેસીને જુના અમરાપરથી પોતાના ઘરે દેવીપુર ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં કોઈ અજાણી કારના ચાલકે તેઓના બાઇકને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં અનસોયાબેનને બંને હાથના કાંડામાં ઈજા થહોવાથી તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News