મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકામાં રૂષભનગર સોસાયટીની મહિલાઓ સહિતના લોકો દ્વારા ભરશિયાળે પાણીની માંગ સાથે રામધૂન !


SHARE













મોરબી મહાપાલિકામાં રૂષભનગર સોસાયટીની મહિલાઓ સહિતના લોકો દ્વારા ભરશિયાળે પાણીની માંગ સાથે રામધૂન !

મોરબીમાં આવેલ રૂષભનગર સોસાયટીમાં છેલ્લા ત્રણેક વર્ષથી પાણીનો પ્રશ્ન છે જેને ઉકેલવા માટે સ્થાનિક લોકો દ્વારા અનેક રજૂઆતો કરેલ છે પણ કામ કરવામાં આવતું ન હતું જેથી કરીને આજે વાજતે ગાજતે સોસાયટીથી મહાપાલિકા કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે લોકોને નિયમિત રીતે અને પૂરતા પ્રમાણમાં પાણી મળે તેવી માંગણી મહિલાઓ સહિતના લોકો દ્વારા કરવામાં આવી હતી ત્યારે સરકારમાંથી પાણીની લાઇન માટેનો પ્રોજેક્ટ મંજૂર થઈ ગયો છે અને આગામી ટૂંક સમયમાં તે સોસાયટીનો પાણીનો પ્રશ્ન ઉકેલાઈ જશે તેવું જવાબદાર અધિકારીરજૂઆત કરવા આવેલા લોકોને જણાવ્યું હતું

મોરબી નગરપાલિકા હતી ત્યારે ઘણા બધા વિસ્તારોની અંદર પ્રાથમિક સુવિધાને લગતા પ્રશ્નો હતા તેને ઉકેલવા માટે મહાપાલિકાના કમિશનરની સૂચના મુજબ અધિકારીઓ દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે જોકે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ન્યુ ચંદ્રેશનગર સોસાયટીની બાજુમાં ઋષભનગર સોસાયટી આવેલ છે અને તે સોસાયટીમાં રહેતા લોકોને આજકાલ નહીં પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી પીવાનું પાણી પાઇપલાઇન મારફતે પૂરતા પ્રમાણમાં અને નિયમિત મળતું નથી જેથી કરીને તે વિસ્તારના લોકો દ્વારા અનેક વખત નગરપાલિકામાં તથા ત્યાર બાદ મહાપાલિકામાં રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં પણ તે લોકોનો પ્રશ્ન કાયમી ધોરણે ઉકેલવામાં આવેલ નથી.

ઋષભનગરમાં રહેતા સપનાબેન કાવર, પ્રભાબેન શાંતિભાઈ અને કવિતાબેન ભાટિયા સહિતના મહિલાઓ સહિતના લોકો પાણીના પ્રશ્ને રોષે ભરાયા હતા અને તેઓએ પોતાની સોસાયટીથી મહાપાલીકા કચેરી સુધી વાંતે ગાજતે એક રેલીનું આયોજન કર્યું હતું અને તેમાં મોટી સંખ્યામાં મહિલાઓ સહિતના લોકો જોડાયા હતા અને આ રેલી મહાપાલિકાની કચેરી ખાતે પહોંચી ત્યારે કમિશનર કે ડેપ્યુટી કમિશનર હાજર ન હોવાથી મહિલાઓ દ્વારા કચેરીમાં શ્રીરામ જય રામ જય જય રામની ધૂન અને રસિયો રૂપાળો પાણી આપો ઘેર જાવું ગમતું નથી.. સહિતના તંત્ર અને અધિકારીઓને ટાંકીને ફટાણા બોલ્યા હતા.

ત્યારબાદ ડેપ્યુટી કમિશ્નર સંજય સોનીએ રજૂઆત કરવા માટે આવેલા લોકોની રજૂઆત સાંભળીને તેઓને એકાંતરા પાણી માટે તેના માટેની તાત્કાલિક વ્યવસ્થા કરવાની ખાતરી આપી હતી અને તે લોકોને પ્રશ્ન કાયમી ધોરણે ઉકેલાઈને તે માટે સરકારમાંથી નવી પાઇપ લાઇનનો પ્રોજેકટ મંજૂર થઈ ગયેલ છે તેની પણ માહિતી આપેલ હતી. અને મોરબીના અન્ય વિસ્તારમાં જે રીતે પાણી મળે છે તે રીતે આ વિસ્તારમાં પણ લોકોને પૂરતા પ્રમાણમાં અને નિયમિત રીતે પાણી મળે તેવી વ્યવસ્થા ગોઠવાઈ જશે તેવી ખાતરી આપી હતી.

જોકે, રજૂઆત કરવા માટે આવેલા કાનજીભાઇ સંઘાણી સહિતના લોકોએ તેઓને તાત્કાલિક પાણી મળે તેવી વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી હતી અને તેઓને પાણી ન મળે ત્યાં સુધી મહિલાઓ સહિતના લોકો ત્યાં જ બેસી રહેશે તેવો નિર્ધાર કર્યો હતો જેથી કરીને રજૂઆત કરવા માટે આવેલા લોકો માટે પૂરી, શાક, ગાંઠિયાની મહિલાઓ સહિતના લોકોની સાથે આવેલા આગેવાન દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી મહાપાલિકાના પટાંગણમાં તે લોકોએ નાસ્તો કર્યો હતો અને તેઓનો પાણીનો પ્રશ્ન ઉકેલાય ત્યાં સુધી મહાપાલિકા કચેરીએ ઘરે જવું નથી તેવો નિર્ધાર કર્યો હતો. 




Latest News