મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીની રામકો વીલેજ સોસાયટીમાંથી નોકરીએ જવા નીકળેલ યુવાન ગુમ


SHARE













મોરબીની રામકો વીલેજ સોસાયટીમાંથી નોકરીએ જવા નીકળેલ યુવાન ગુમ

મોરબી નજીક આવેલ રામકો વીલેજ સોસાયટીમાં રહેતો યુવાન તેના ઘરેથી નોકરીએ જવા માટે નીકળ્યો હતો જો કે, ત્યાર બાદ તે ગુમ થઈ ગયેલ છે અને શોધવા છતાં કોઈ જગ્યાએથી તેનો પત્તો લાગેલ નથી જેથી યુવાનની પત્નીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ આપેલ છે. જેથી પોલીસે અને પરિવારના લોકો ગુમ થયેલા યુવાનને શોધી રહ્યા છે

મોરબી ઘૂટું રોડ પર આવેલ રામકો વીલેજ સોસાયટીમાં હાલમાં રહેતા મૂળ ઓટાળાના રહેવાસી સોનલબેન નવીનભાઈ ઘોડાસરા (32)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ ગુમ થયેલ હોવાની ગુમસુધા ફરિયાદ આપેલ છે જેમાં જણાવ્યુ છે કે, રવાપર નદી ગામની સીમમાં બાથકો સેનેટરીના કારખાનામાં તે અને તેના પતિ નવીનભાઈ નારણભાઇ ઘોડાસરા (35) મજુરી કામ કરતાં હતા અને તા.૧૯/૧૧/૨૦૨૫ ના રોજ ફરિયાદીને મજા ન હતી જેથી તેને કામમાં રજા લીધી હતી જો કે તેના પતિ સવારના સાડા સાતેક તેના પતિ નાસ્તો કરીને કારખાને નોકરીએ જવા માટે નીકળ્યા હતા ત્યાર બાદ સવારના સાડા નવેક વાગ્યે સોનલબેનને તેના ભાઈ કલ્પેશભાઈનો કારખાનેથી ફોન આવ્યો હતો કે, બનેવી હજુ કામ આવેલ નથી. ત્યાર બાદ તેની વતનમાં તેમજ સોસાયટીમાં શોધખોળ શરૂ કરી હતી અને તેનો મોબાઈલ ફોન પણ બંધ આવતો હતો. અને કોઈ જગ્યાએથી નવીનભાઈ ઘોડાસરાનો પત્તો લાગ્યો ન હતો જેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ આપેલ છે




Latest News