પ્રમુખ સ્વામી મહારાજના અવતરણદિન નિમિતે મોરબીમાં વિરાટ રક્તદાન યજ્ઞ યોજાશે મોરબીના શનાળા ઓવરબ્રિજ નજીક કારચાલકે બાઇકને હડફેટ લેતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં મોરબીના બગથળા ગામે ચક્કર આવ્યા હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત મોરબીના મકનસર પાસેથી દારૂની ૧૦૨ બોટલ પકડવાના ગુનામાં મહિલા સહિત કુલ ત્રણ આરોપી પકડાયા મોરબી : બી.આર.સી. ખાતે પ્રાથમિક વિભાગનો તાલુકા કક્ષાનો કલા ઉત્સવ યોજાયો મોરબીના બરવાળા ગામે યુવાનને ગાળો આપીને પાઇપ વડે માર માર્યો મોરબીના બંધુનગર પાસે રોડ ક્રોસ કરવા ઉભેલા યુવાન ઉપર ક્રેન પડી !: ટ્રક ચાલકે અકસ્માત સર્જતા ઇજા પામેલ બે વ્યક્તિ સારવારમાં મોરબીના નવા સાદુળકા ગામ પાસે ત્રીપલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીમાં વૃદ્ધની જમીન પચાવી પાડવાના કૌભાંડમાં પકડાયેલ આરોપી કનૈયાલાલ દેત્રોજાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર


SHARE















મોરબીમાં વૃદ્ધની જમીન પચાવી પાડવાના કૌભાંડમાં પકડાયેલ આરોપી કનૈયાલાલ દેત્રોજાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર

મોરબીના નવાગામ (લગધીરનગર) ના ખેડૂતની કિંમતી જમીન પચાવી પાડવા માટે થઈને કૌભાંડ કરવામાં આવ્યું હતું જેની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ હતી. જે ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરેલ છે અને તેને તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જેથી પોલીસે જુદીજુદી દિશામાં તપાસ શરૂ કરેલ છે અને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

મોરબીના નવાગામના ખેડુત પ્રભુભાઈ નથુભાઈ દેત્રોજા (71) ની ગાંધીનગર જિલ્લાના કાલોલ તાલુકાનાં મોજે જાસપુર ગામ ના રેવન્યુ સર્વે  નંબર 252 અને 161 ની કરોડોની કિંમતની જમીન પચાવી પાડવા ડો. કનૈયાલાલ સુદરજી દેત્રોજા, (એમ.ડી. GLDC) તથા તેનો દીકરો વિશ્વાસ દેત્રોજાગુરુકૃપા હોટલના ભાગીદાર ઉપેન્દ્ર ભાગવાનજી કસુંદ્રા તથા આર.ડી.સી. બેન્ક ગ્રામ્ય સાખા મોરબી મોરબીના કર્મચારીઓએ પૂર્વ આયોજિત સડયંત્ર કર્યુ હતુ અને બોગસ તેમજ બનાવટી ડૉક્યુમેન્ટને સાચા તરીકે રજૂ કરીને ખોટી સમજ આપીને પ્રભુભાઈ નથુભાઈ દેત્રોજાની જમીનના રેકર્ડમાં પોતાનું નામ દાખલ કર્યું હતું. તથા અવેજની રકમ 1.61 કરોડનું ટ્રાન્જેકશન દેખાડવા ખાતા ધારકની જાણ વિના બારોબાર બેન્ક કર્મચારીની મદદથી ચેકબુક મેળવી હતી અને ખાતા ધારકની ખોટી સહીઓ કરીને કરોડોની રકમનું આર.ટી.જી.એસ. ટ્રાજેક્સન કરી ગૂનો કર્યો હતો.

આ બનાવમાં કોર્ટના આદેશ પછી ગત ઓગસ્ટ મહિનામાં ભોગ બનેલા ખેડૂતની એ ડિવિઝનમાં ફરિયાદ લેવામાં આવેલ હતી. ગુનામાં એ ડિવિઝન પોલીસની ટીમે આરોપી કનૈયાલાલ સુંદરજીભાઈ દેત્રોજા (62) રહે. 404 રત્નમ રેસિદંસીઆનંદીકેતન સ્કૂલ પાસેસેટેલાઈટ અમદાવાદની ધરપકડ કરેલ હતી અને તેને રિમાન્ડની માંગણી સાથે મોરબીની કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જેથી પોલીસે ગુનાના મૂળ સુધી જવા મળે જુદીજુદી દિશામાં તપાસ શરૂ કરેલ છે તેમજ બાકીના આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.






Latest News