મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં વૃદ્ધની જમીન પચાવી પાડવાના કૌભાંડમાં પકડાયેલ આરોપી કનૈયાલાલ દેત્રોજાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર


SHARE











મોરબીમાં વૃદ્ધની જમીન પચાવી પાડવાના કૌભાંડમાં પકડાયેલ આરોપી કનૈયાલાલ દેત્રોજાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર

મોરબીના નવાગામ (લગધીરનગર) ના ખેડૂતની કિંમતી જમીન પચાવી પાડવા માટે થઈને કૌભાંડ કરવામાં આવ્યું હતું જેની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ હતી. જે ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરેલ છે અને તેને તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જેથી પોલીસે જુદીજુદી દિશામાં તપાસ શરૂ કરેલ છે અને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

મોરબીના નવાગામના ખેડુત પ્રભુભાઈ નથુભાઈ દેત્રોજા (71) ની ગાંધીનગર જિલ્લાના કાલોલ તાલુકાનાં મોજે જાસપુર ગામ ના રેવન્યુ સર્વે  નંબર 252 અને 161 ની કરોડોની કિંમતની જમીન પચાવી પાડવા ડો. કનૈયાલાલ સુદરજી દેત્રોજા, (એમ.ડી. GLDC) તથા તેનો દીકરો વિશ્વાસ દેત્રોજાગુરુકૃપા હોટલના ભાગીદાર ઉપેન્દ્ર ભાગવાનજી કસુંદ્રા તથા આર.ડી.સી. બેન્ક ગ્રામ્ય સાખા મોરબી મોરબીના કર્મચારીઓએ પૂર્વ આયોજિત સડયંત્ર કર્યુ હતુ અને બોગસ તેમજ બનાવટી ડૉક્યુમેન્ટને સાચા તરીકે રજૂ કરીને ખોટી સમજ આપીને પ્રભુભાઈ નથુભાઈ દેત્રોજાની જમીનના રેકર્ડમાં પોતાનું નામ દાખલ કર્યું હતું. તથા અવેજની રકમ 1.61 કરોડનું ટ્રાન્જેકશન દેખાડવા ખાતા ધારકની જાણ વિના બારોબાર બેન્ક કર્મચારીની મદદથી ચેકબુક મેળવી હતી અને ખાતા ધારકની ખોટી સહીઓ કરીને કરોડોની રકમનું આર.ટી.જી.એસ. ટ્રાજેક્સન કરી ગૂનો કર્યો હતો.

આ બનાવમાં કોર્ટના આદેશ પછી ગત ઓગસ્ટ મહિનામાં ભોગ બનેલા ખેડૂતની એ ડિવિઝનમાં ફરિયાદ લેવામાં આવેલ હતી. ગુનામાં એ ડિવિઝન પોલીસની ટીમે આરોપી કનૈયાલાલ સુંદરજીભાઈ દેત્રોજા (62) રહે. 404 રત્નમ રેસિદંસીઆનંદીકેતન સ્કૂલ પાસેસેટેલાઈટ અમદાવાદની ધરપકડ કરેલ હતી અને તેને રિમાન્ડની માંગણી સાથે મોરબીની કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જેથી પોલીસે ગુનાના મૂળ સુધી જવા મળે જુદીજુદી દિશામાં તપાસ શરૂ કરેલ છે તેમજ બાકીના આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.






Latest News