મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકામાં રૂષભનગર સોસાયટીની મહિલાઓએ 9 કલાક રામધૂન બોલાવી પછી તુર્તજ પાણી આપવાની ખાતરી આપતા આંદોલન સમેટાયું


SHARE











મોરબી મહાપાલિકામાં રૂષભનગર સોસાયટીની મહિલાઓએ 9 કલાક રામધૂન બોલાવી પછી તુર્તજ પાણી આપવાની ખાતરી આપતા આંદોલન સમેટાયું

મોરબીની રૂષભનગર સોસાયટીમાં પાણીનો પ્રશ્ન ઉકેલવા માટે સ્થાનિક લોકો સવારે 11 વાગ્યે રજૂઆત કરવામાં આવેલ હતા જો કે, અધિકારી આપેલ ખાતરી પછી મહિલાઓ સહિતના લોકોને સંતોષ ન થતાં મહિલાઓ સહિતના લોકો સાંજના 7 વાગ્યા સુધી મહાપાલિકામાં જ બેઠા હતા અને રામધૂન ચાલુ રાખી હતી જો કે, પાણી એકાંતરા આપવાની અને સમયસર આપવાની વધુ એક વખત ખાતરી આપતા લોકો આંદોલન સમેટીને ઘરે રવાના થયા હતા.

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ઋષભનગર સોસાયટીમાં છેલ્લા ત્રણ વર્ષથી પીવાનું પાણી પાઇપલાઇન મારફતે પૂરતા પ્રમાણમાં અને નિયમિત મળતું ન હતું જેથી કરીને સવારે 11 વાગ્યે મહાપાલિકા કચેરી ખાતે વાજતે ગાજતે રેલી લઈને આવ્યા હતા અને તેમાં મોટી સંખ્યામાં મહિલાઓ સહિતના લોકો જોડાયા હતા અને આ રેલી મહાપાલિકાની કચેરી ખાતે પહોંચી ત્યારે કમિશનર કે ડેપ્યુટી કમિશનર હાજર ન હોવાથી મહિલાઓએ કચેરીમાં રામધૂન બોલાવી હતી અને ત્યાર બાદ ડેપ્યુટી કમિશ્નર સંજય સોનીએ રજૂઆત કરવા માટે આવેલા લોકોને સાંભળીને તેઓને એકાંતરા પાણી માટે તેવી ખાતરી આપી હતી જો કે, લોકોને તે ખાતરીથી સંતોષ ન હતો જેથી કરીને મહિલાઓ સહિત મહાપાલિકા કચેરી ખાતે જ રોકાયા હતા અને બપોરે ત્યાં જ કચેરીના પટાંગણમાં ભોજન કર્યું હતું. ત્યાર બાદ સાંજના 7 વાગ્યા સુધી મહાપાલિકા કચેરીએ રોકાયા હતા જેથી અધિકારી રાતે તેઓને પાણી આપવાની ખાતરી આપી હતી અને તેમનો પ્રશ્ન કાયમી ધોરણે ઉકેલાય તેના માટે ઝડપથી કામગીરી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી જેથી સ્થાનિક લોકો આંદોલન પૂરું કરીને ઘરે રવાના થયા હતા.






Latest News