મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી નવયુગ ગ્રુપ ઓફ કોલેજ ખાતે એનસીસી ડે ની ઉજવણી કરાઇ


SHARE













મોરબી નવયુગ ગ્રુપ ઓફ કોલેજ ખાતે એનસીસી ડે ની ઉજવણી કરાઇ

મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે એનસીસી ડે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે કોલેજના એનસીસી કેડેટ્સે પરેડ, ડ્રિલ અને સ્વચ્છતા અભિયાન જેવી અનેક પ્રવૃત્તિઓ દ્વારા પોતાની શિસ્ત, સમર્પણ અને રાષ્ટ્રભક્તિને ઉજાગર કરી હતી. ત્યારે સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા એ જણાવ્યુ હતું કે, એનસીસી માત્ર તાલીમ નથી, તે રાષ્ટ્ર માટે જીવવાની સન્માનસભર પ્રેરણા છે. ત્યાર બાદ મોરબીના મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને ક્રાંતિકારીઓની પ્રતિમાની સફાઈ કરવામાં આવી હતી અને તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રેસિડેન્ટ પી.ડી. કાંજીયાની પ્રેરણાથી પ્રિન્સિપાલ સતીશ વોરા અને એનસીસી એએનઓ શીતલબેન કંઝારિયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.






Latest News