વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો મોરબી જીલ્લામાં પરપ્રાંતિય કર્મચારી-શ્રમિકોની પોલીસ સ્ટેશનમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં પ્રતિબંધિત વિસ્તારોમાં પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબીમાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે કલેલટરે બહાર પાડ્યું જાહેરનામું
Breaking news
Morbi Today

મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા


SHARE











મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા

મોરબીમાં આવેલ સાર્થક વિદ્યા મંદિર ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ તેમજ મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા ગીતા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગીતાજીનું પૂજન, ગીતાજીનું પઠન, દશાવતાર નૃત્ય નાટિકા, મહાભારત નૃત્ય નાટીકા, સંસ્કૃત ગરબા વગેરે સંસ્કૃતના સંરક્ષણ તેમજ સંવર્ધન હેતુથી આ પ્રકારની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ સાથે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની યોજના પંચકમ અંતર્ગત જેમને સંપૂર્ણ ગીતાજી તેમજ સો સુભાષિત કંઠસ્થ કરેલા હતા તેમને પ્રમાણપત્ર તેમજ શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે મુખ્ય અતિથિ તરીકે ડેપ્યુટી ડીડીઓ શૈલેષભાઈ ભટ્ટ, જિલ્લા શિક્ષણ અધિકારીના પ્રતિનિધિ બ્રિજેશભાઈ, ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ નોડલ અધિકારી અલ્પેશભાઈ, સાર્થક વિદ્યામંદિરના ટ્રસ્ટી કમલેશભાઈ તેમજ અન્ય મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ગીતાજીનું જીવનમાં શું મહત્વ છે તે અંતર્ગત માધવભાઈ પંડ્યાએ મુખ્ય વક્તા તરીકે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ મોરબી જિલ્લામાં અને સાર્થક વિદ્યા મંદિરમાં સંસ્કૃત કાર્ય થઈ રહ્યા છે તે અંતર્ગત સંસ્કૃત ભારતીમાંથી રાજકોટ વિભાગ સંયોજક મયુરભાઈ શુક્લએ માહિતી આપી હતી. આ સાથે દર વર્ષની જેમ સાર્થક વિદ્યામંદિરમાં સવારે તેમજ બપોરે બંને સમયે ગીતાજીના સંપૂર્ણ 18 અધ્યાયનું પારાયણ પણ કરવામાં આવેલું હતું.






Latest News