મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર, બોરિચા અને આહીર હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના સનાળા ગામ પાસે શોરૂમમાં આગ લાગતા નાસભાગ


SHARE













મોરબીના સનાળા ગામ પાસે શોરૂમમાં આગ લાગતા નાસભાગ

મોરબીના સનાળા ગામ પાસે આવેલ શોરૂમની અંદર કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની હતી જેની તાત્કાલિક મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને બનાવની જાણ કરતા ફાયરની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી અને શોરૂમમાં લાગેલ આગને કાબુમાં કરવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.

મોરબી નજીકના સનાળા ગામ પાસે આવેલ દરિયાલાલ સ્ક્વેર નામના શોપિંગ સેન્ટરની અંદર નીચેના ભાગમાં માધવ સુઝુકી નામનો શોરૂમ આવેલ છે અને તે શોરૂમની અંદર કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની હતી જેથી આસપાસના વેપારીઓ દ્વારા તાત્કાલિક આ બનાવ અંગેની શોરૂમના સંચાલકોને જાણ કરવામાં આવી હતી તેમજ મોરબી મહાપાલિકાને જાણ કરવામાં આવી હતી જેથી ફાયરની ટીમ તાત્કાલિક ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને શોરૂમમાં લાગેલ આગને કાબુમાં લેવા માટે થઈને પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો મળતી માહિતી મુજબ આગ લાગવાની ઘટના સાંજના સમયે શોરૂમમાં બની હતી જો કે, શોરૂમ તે સમયે બંધ હતો પરંતુ આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણવા મળી શક્યું નથી.






Latest News