મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન વાંકાનેરના વઘાસિયા ટોલનાકા ઉપર સ્ટાફ સાથે ઝઘડો કરીને ટોલ ભર્યા વગર વાહન કઢાવીને ધમકી આપનાર બે શખ્સો સામે ફરિયાદ ટંકારાના વીરપર પાસે અકસ્માત: ક્રેટા ગાડીના ચાલકે રિક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત મોરબીની માળિયા ફાટક ચોકડીએ ટ્રક કન્ટેનરના ચાલકે એકટીવાને કચડી નાખ્યું: ઇજા પામેલ મહિલા સારવારમાં માળીયા (મી) નજીક રોડ ક્રોસ કરતાં માતા-પુત્રને આઇસરના ચાલકે હડફેટે લેતા મહિલાનું મોત: દીકરાનો પગ કપવો પડ્યો મોરબીના વિદ્યુતનગરમાં મહિલાએ અકળ કારણોસર જીવન ટૂંકાવ્યું મોરબીની અવની ચોકડીએ એપાર્ટમેન્ટની અગાસીએ કપડાં સુકવતા સમયે નીચે પટકાતાં વૃદ્ધાનું મોત
Breaking news
Morbi Today

મોરબીના શાંતિવન વિસ્તારમાં ડો. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીના શાંતિવન વિસ્તારમાં ડો. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો

૬ ડિસેમ્બર ભારતના બંધારણના ઘડવૈયા, ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે, મોરબીના શાંતિવન વિસ્તારમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અને શાંતિવન પ્રાથમિક શાળા પાસે યોજાયેલા આ કાર્યક્રમમાં આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને ડો. બાબાસાહેબને ભાવભીની અંજલિ અર્પણ કરી હતી. આ તકે શાંતિવન, લાયન્સનગર, રણછોડનગર, વિજયનગર, ભીમરાવનગર, રોહિદાસપરા અને આસપાસના વિસ્તારોના લોકોએ એકસાથે આવીને ડો. બાબાસાહેબ આંબેડકરના જીવન, કાર્યો અને સંદેશને યાદ કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરના આદર્શોને પોતાના જીવનમાં ઉતારવા અને તેમના દ્વારા સ્થાપિત મૂલ્યોનું જતન કરવા સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રમેશભાઈ ચાવડા, સુખાભાઈ મકવાણા અને ભરતભાઈ સાગઠીયા સહિત વિસ્તારના અગ્રણીઓએ સક્રિય ભાગ લીધો હતો.






Latest News