મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના શાંતિવન વિસ્તારમાં ડો. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીના શાંતિવન વિસ્તારમાં ડો. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો

૬ ડિસેમ્બર ભારતના બંધારણના ઘડવૈયા, ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે, મોરબીના શાંતિવન વિસ્તારમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અને શાંતિવન પ્રાથમિક શાળા પાસે યોજાયેલા આ કાર્યક્રમમાં આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને ડો. બાબાસાહેબને ભાવભીની અંજલિ અર્પણ કરી હતી. આ તકે શાંતિવન, લાયન્સનગર, રણછોડનગર, વિજયનગર, ભીમરાવનગર, રોહિદાસપરા અને આસપાસના વિસ્તારોના લોકોએ એકસાથે આવીને ડો. બાબાસાહેબ આંબેડકરના જીવન, કાર્યો અને સંદેશને યાદ કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરના આદર્શોને પોતાના જીવનમાં ઉતારવા અને તેમના દ્વારા સ્થાપિત મૂલ્યોનું જતન કરવા સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રમેશભાઈ ચાવડા, સુખાભાઈ મકવાણા અને ભરતભાઈ સાગઠીયા સહિત વિસ્તારના અગ્રણીઓએ સક્રિય ભાગ લીધો હતો.






Latest News