મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ મોરબીમાં મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ મોરબી તાલુકા પોલીસ લાઇનમાં રહેતો પોલીસ કોન્સ્ટેબલ ગુમ પોલીસની ઓસરતી ધાક ચિંતાનો વિષય : મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને યુવાન ઉપર લાકડી વડે હુમલો મોરબીના લાલપર ગામ નજીકથી સગીરાનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડ ઉપર રહેતા જૈન આધેડનું શંકાસ્પદ હાલતમાં મોત, મર્ડરની આશંકાએ તપાસ ચાલુ


SHARE













મોરબીના શનાળા રોડ ઉપર રહેતા જૈન આધેડનું શંકાસ્પદ હાલતમાં મોત, મર્ડરની આશંકાએ તપાસ ચાલુ

મોરબીના શનાળા રોડ ઉપર આવેલી આરાધના સોસાયટીમાં રહેતા જૈન આધેડ ઘરે એકલા હતા તેમના પત્ની-પુત્ર પ્રસંગ સબબ ગોવા ગયેલા હતા તે દરમિયાનમાં ગઈકાલે સાંજે આધેડને માથાના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં અહિંની ક્રિષ્ના હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા અને તેઓનું મોત નિપજયુ હોય અને હાલ મોત શંકાસ્પદ જણાતા પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, મોરબીના શનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસીની સામેની આરાધના સોસાયટીમાં રહેતા દિનેશભાઇ અમૃતલાલભાઈ મહેતા નામના ૭૬ વર્ષીય જૈન વૃદ્ધ તેમના ઘરે એકલા હતા કારણકે તેમના પત્ની અને તેમનો પુત્ર કોઈ પ્રસંગ સબબ ગોવા ગયા હોય ઘરે એકલા રહેલા દિનેશભાઈ મહેતા એકલા હોય તેમના આસપાસના લોકોને તેઓનું ધ્યાન રાખવાનું કહ્યું હતું માટે પાડોશી દિનેશભાઇના ઘરે જતાં ગઈકાલ સાંજે છએક વાગ્યાના અરસામાં માથાના ભાગે ઈજાગ્રસ્ત હાલતમાં દિનેશભાઈ મહેતા તેમના ઘરમાંથી મળી આવતા તેમને આડોશ પાડોશના લોકોએ ગઇકાલે સાંજે છએક વાગ્યે ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા અને દરમિયાનમાં તેઓનું મોત નીપજયું હતું.

હાલ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મૃતક દિનેશભાઈ મહેતાને માથાના ભાગે અને ગળાના ભાગે ઈજાનાં નિશાન જોવા મળ્યા છે હાલ બનાવ અકસ્માતે પડી જવાથી મોત થવાનો છે કે લૂંટના ઇરાદે કોઈ ઈસમ દ્વારા તેઓને બોથડ પદાર્થ ઝીંકીને દિનેશભાઇ મહેતાની હત્યા નિપજાવવામાં આવી છે..? તએ બંને દિશાઓમાં મોરબી સીટી એ-ડિવીઝન પીઆઇ આલના માર્ગદર્શન હેઠળ સ્ટાફે આગળની તપાસ હાથ ધરી છે.

વધુમાં મળતી માહિતી મુજબ મૃતક દિનેશભાઈ મહેતા ઘરે એકલા હતા અને તેમના ઉપર કોઈના દ્વારા તીક્ષણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો એ પણ જાણવા મળી રહ્યું છે કારણ કે જાણવા મળતી વિગતો મુજબ તેમના આંગળીના ભાગે ઈજા છે તેમજ કપાળના ભાગે પણ ઇજાના નિશાન છે તેમજ ગળાના ભાગે ગળેટુંપો આપવામાં આવ્યો હોય તેવી પણ શકયતા જોવા મળી રહી હોય મોરબી સિવિલ હોસ્પિટલ ખાતેથી તેઓના ડેડબોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

 




Latest News