મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ મોરબી જીલ્લામાં જમ ઘર ભાળી ન જાય તે માટેની ભાજપના વિજેતા ઉમેદવરોના અભિવાદન સમારોહમાં મતોનું એનાલિસિસ કરવા આગેવાનોએ કરી ટકોર હળવદના કડીયાણા ગામે વાડીએથી ચોરી કરેલા 1 લાખના કોપર વાયર સાથે આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં ઢોર પકડવા માટેની કામગીરીમાં માત્ર ગાયો જ પકડાય છે નંદી નહીં: કોંગ્રેસ પ્રમુખનો આક્ષેપ


SHARE













મોરબીમાં ઢોર પકડવા માટેની કામગીરીમાં માત્ર ગાયો જ પકડાય છે નંદી નહીં: કોંગ્રેસ પ્રમુખનો આક્ષેપ

મોરબીમાં ઢોર પકડવા માટેની મહાપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવે છે જેમાં માત્ર માલધારીઓની ગાયોને જ પકડવામાં આવે છે જો કે, રજડતા નંદીઓને પકડવામાં આવતા નથી તેવો અણીદાર આક્ષેપ મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ દ્વારા કરવામાં આવેલ છે.

મોરબીના લોકોને રજડતા ઢોરની પીડામાંથી મુક્તિ માટે તે માટે મહાપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવે છે તેની સામે મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ ગંભીર આક્ષેપ કરેલ છે અને સોશિયલ મીડિયામાં મૂકેલા વિડિયોમાં તેઓએ કહ્યું છે કે, મહાપાલિકા દ્વારા માત્ર ગૌમાતા અને વાછરડીને જ પકડવામાં આવે અને તેને દૂર ગામડામાં મૂકવામાં આવે છે ત્યાર બાદ માલધારીઓ પાસેથી દંડ લેવામાં આવે છે અને ગાયને ત્યાંથી પછી લાવવા માટે પણ માલધારીને આર્થિક ડામ લાગે છે જો કે, રસ્તે રજડતા નંદીઓને પકડવામાં આવતા નથી માટે મહાપાલિકા દ્વારા માલધારીઓનું હિત વિચારીને કાર્યવાહી કરવામાં આવે અને ખાસ કરીને લોકોને રજડતા નદીઓનો ત્રાસ છે તેને પકડવા માટેની કામગીરી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.






Latest News