મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ મોરબી જીલ્લામાં જમ ઘર ભાળી ન જાય તે માટેની ભાજપના વિજેતા ઉમેદવરોના અભિવાદન સમારોહમાં મતોનું એનાલિસિસ કરવા આગેવાનોએ કરી ટકોર હળવદના કડીયાણા ગામે વાડીએથી ચોરી કરેલા 1 લાખના કોપર વાયર સાથે આરોપીની ધરપકડ વાંકાનેર તાલુકાની શિક્ષિકાઓએ ચૂંટણી ફરજ પૂર્ણ કર્યા બાદ અન્યાય મુદે આપ્યું આવેદનપત્ર મોરબીમાં ફર્નિચરની દુકાનમાં વહેલી સવારે આગ લગતા માલ સમાન બળીને ખાખ મોરબીમાં ઠંડાપીણાની દુકાને પાણીની બોટલ માંગીને વેપારીની નજર ચૂકવીને રોકડા 30 હજારની ચોરી
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાી જહેમતથી નિમેદારને ૧૨.૦૮ લાખ વ્યાજ સહિત ચુકવવા હુકમ


SHARE













મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાી જહેમતથી નિમેદારને ૧૨.૦૮ લાખ વ્યાજ સહિત ચુકવવા હુકમ

મોરબીના વતનીની ગાડી સળગી જતા ઈફકો ટોકીયો ઈન્સ્યુરન્સ લી.એ રેપ્યુર્ડ લેટરથી ગ્રાહકને વિમો આપવાની ના પાડતા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરતા ગ્રાહક અદાલતે વિમેદારને રૂા.૧૨.૦૮ લાખ વ્યાજ સાથે ચુકવવા આદેશ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે, ગત તા.૮-૨-૨૪ ના રોજ ભરતભાઈ નાથાભાઇ ડાભીના કર્મચારીની દિકરીને દવાખાને લઈ જતા હતા ત્યારે ફરિયાદી ભરતભાઇની કાર પેટ્રોલ પંપ પાસે એક રીક્ષા સાથે અથડાતા અકસ્માત થયેલ અને કારના આગળના બોનેટમાં નુકશાન થયેલ પરંતુ ચલાવવામાં કોઈ પ્રોબ્લેમ ન હતો.જેથી કાર ચલાવીને પેટ્રોલ ૫ં૫ પાસે કાર પાર્ક કરેલ ત્યારે અચાનક બોનેટના ભાગમાંથી ધુમાડો નીકળવા લાગેલ અને કારમાં આગ લાગી હતી.જેથી કારને ખૂબજ નુકશાન થયેલ. આથી ફરિયાદીએ કારનો જેમાં વિમો હતો તે ઈફકો ટોકીયો જનરલ ઈન્સ્યુરન્સ લી.ને જાણ કરી અને વિમા કંપની પાસે કારની નુકશાનીની રકમ માંગેલ.તમામ આધાર પુરાવા આપ્યા છતાં વિમા કંપનીએ રેપ્યુર્ડ લેટરથી અયોગ્ય ગણાવી વિમો આપવાની ના પાડી દીધેલ.જેથી ભરતભાઈ ડાભીએ મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા મારફત ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરેલ.

અદાલતે વિમા કંપનીને જણાવેલ કે પોલીસીમાં રીટર્ન ટુ ઈનવોઈસનું પ્રીમીયમ ગ્રાહક પાસેથી લીધુ છે.વિમાનું પ્રીમીયમ રેગ્યુલર ભરેલ છે. સુપ્રીમ કોર્ટે જણાવેલ છે કે વીમેદારે કંપનીએ પ્રિમિયમ ભરેલ હોઈ તો વીમો આપવો પડે.વિમા કંપનીની બેદરકારી છે માટે ગ્રાહકને રૂા. ૧૨,૦૮,૫૭૫ તા.૧૯-૧૧-૨૪ થી ૬ ટકાના વ્યાજ સાથે અને રૂા.૫૦૦૦ ખર્ચ પેટેના સમય મર્યાદા (૨ માસ) માં ચુકવે નહીં બાદમાં ૯ ટકા લેખે ચુકવવાના રહેશે તેવો આદેશ કરેલ છે.કોઈપણ ગ્રાહકને અન્યાય થાય તો સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨), ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટ (મો.૯૩૨૭૪ ૯૯૧૮૫), ઉપપ્રમુખ હિતેષભાઈ મહેતા (મો.૯૯૭૮૯ ૮૩૯૮૬) અથવા મંત્રી રામ મહેતા મો.૯૯૦૪૭ ૯૮૦૪૮) નો સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવાયેલ છે.






Latest News