મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામધામ ખાતે આજે ભવ્ય સંતવાણી યોજાશે


SHARE







મોરબીના પરશુરામધામ ખાતે આજે ભવ્ય સંતવાણી યોજાશે

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામધામ ખાતે ત્રિદિવસીય ભગવાન શ્રી પરશુરામની કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સ્વામી ભાણદેવજી દ્વારા શ્રોતાઓને કથાનું રસપાન કરવી રહ્યા છે તેની સાથે આજે તા ૧૮ ના રોજ રાતે ભવ્ય સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીમાં પરશુરામ ધામ ચેરીટેબલ ટ્રસ્ટ, મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ, મોરબી શહેર સમસ્ત બ્રહ્મસમાજ, સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટ, સમસ્ત બ્રહ્મ વિકાસ પરિષદ, સમસ્ત બ્રહ્મ બ્રહ્મસમાજ મહિલા મંડળ, પરશુરામ યુવા ગ્રુપ અને ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સહિતની સંસ્થાઓ દ્વારા ભગવાન શ્રી વિષ્ણુના છઠ્ઠા અવતાર, બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામના સમગ્ર જીવનને કથામૃત સ્વરૂપે લોકો સુધી પહોચાડીને લોકોમાં નવી ઉર્જા આવે તેમજ સમાજને નવી શક્તિ મળે તેવા હેતુ સાથે કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને તા.૧૭ થી ૧૯ સુધી બપોરે ૩ થી સાંજે ૬:૩૦ કલાક દરમ્યાન મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામધામ ખાતે આ પરશુરામ કથાનું આયોજન કરાયું છે તેની સાથોસાથ આજે તા. ૧૮ ને શનિવારે રાત્રે ૯ કલાકે ભવ્ય સંતવાણીના કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભજનિક જયમંતભાઈ દવે, લોક સાહિત્યકાર પ્રકાશભાઈ જાદવ અને ગાયક બાળ કલાકાર ભક્તિબેન દવે સહિતના કલાકારો જમાવટ કરશે






Latest News