રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં સરપંચ પદ માટે સૌથી વધુ છ ઉમેદવારો રવાપર ગામમાં..!


SHARE









મોરબી જિલ્લામાં સરપંચ પદ માટે સૌથી વધુ છ ઉમેદવારો રવાપર ગામમાં..!

મોરબી જિલ્લામાં આજે 197 ગ્રામ પંચાયત માટે ચૂંટણી યોજાઈ રહી છે જેમાં મોરબી જિલ્લામાં મોરબી તાલુકાના રવાપર ગામમાં ઉભેલા છે અને છ ઉમેદવારો સરપંચ પદ માટે આ ચૂંટણી લડી રહ્યા છે તેવા સમયે મતદારો પણ ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે અને વહેલી સવારથી જ રવાપર ગામના તમામ મતદાન મથકો ઉપર મતદારોએ મતદાન કરવા માટે લાઇનો લગાવી હતી.

મોરબી જિલ્લામાં કુલ મળીને 303 ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી જે પૈકીના 71 ગામ સમરસ થઈ ગયા હતા અને ત્યારબાદ 232 ગામમાં હતા તે પૈકીના 35 ગામની અંદર ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા ન હતા જેથી કરીને આ ગામ સિવાયના કુલ મળીને 197 ગામની અંદર આજે સરપંચ અને સભ્યો માટે ચૂંટણીનું મતદાન ચાલુ છે તેનું મતદાન વહેલી સવારે સાત વાગ્યાથી શરૂ કરવામાં આવ્યું છે અને શાંતિપૂર્ણ માહોલની અંદર મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે અને પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત પણ સમગ્ર જિલ્લાની જે ગ્રામ પંચાયતની ચૂંટણી  છે ત્યા મૂકી દેવામાં આવ્યો છે હાલમાં જો વાત કરીએ તો મોરબી તાલુકાના રવાપર ગામની અંદર સરપંચ પદ માટે સૌથી વધુ છ ઉમેદવારો છે જેથી કરીને હાલમાં તે છ ઉમેદવારોમાંથી ગામના સરપંચ ચૂંટવા માટે થઈને ગામના મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વહેલી સવારે 7 થી રવાપર ગામના મતદાન મથકો ઉપર મતદારો દ્વારા મતદાન કરવા માટે લાઇનો લગાવવામાં આવી છે અને આગામી સમયમાં આ ગામના સરપંચ તરીકે જે કોઈ વ્યક્તિ ચૂંટાય તે ગામના વિકાસમાં અને લોકોની સુખાકારીમાં વધારો થાય તે પ્રકારની કામગીરી કરે તેવી લાગણી ગામના મતદારો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.






Latest News