ટંકારાના હડમતિયામાં ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું, ૫૦૦૦ થી વધુ લોકોની ઉપસ્થિતિ મોરબીમાં લીલાપર રોડે આવેલ આવાસ યોજનામાં ૩૩૬ લાભાર્થીઓના આવાસ રદ્દ, નવેસરથી ડ્રો કરાશે: અધિકારી મોરબીના મણી મંદિર પાસે અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીમાં મણીમંદિર-ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઈટિંગના કામનો કોન્ટ્રાક્ટ આપાયો મોરબીના સૂરજબાગના નવીનીકરણનું કામ ૩૦ ટકા પૂરું સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મ દિવસે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, શુભેચ્છકો દ્વારા કચ્છભરમાં સેવા કાર્યોનું આયોજન મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી તરીકે ચિરાગભાઈ રાચ્છની વરણી મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૮ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી OSEM સ્કૂલ ખાતે યોજાયેલ બિઝનેસ ફેરનું વૃદ્ધાશ્રમના વડીલોએ કર્યું ઉદ્ઘાટન


SHARE













મોરબી OSEM સ્કૂલ ખાતે યોજાયેલ બિઝનેસ ફેરનું વૃદ્ધાશ્રમના વડીલોએ કર્યું ઉદ્ઘાટન

મોરબીની OSEM GSEB સ્કૂલ દ્વારા આયોજિત કોમર્સ ફેસ્ટના ત્રીજા દિવસે વિદ્યાર્થીઓના બિઝનેસ ફેરનું ભાવસભર અને પ્રેરણાદાયી આયોજન કરવામાં આવ્યું હતું. આ બિઝનેસ ફેરનું ઉદ્ઘાટન વૃદ્ધાશ્રમના વડીલોના કરકમલોથી કરવામાં આવ્યું હતું, જે પેઢીઓ વચ્ચેના સંવાદ, સંસ્કાર અને અનુભવના સેતુરૂપ બન્યું હતું. બિઝનેસ ફેરમાં વિદ્યાર્થીઓએ પોતે બનાવેલા ખાદ્યપદાર્થો, હસ્તકલા, સર્જનાત્મક પ્રોડક્ટ્સ તથા નાના વ્યવસાયિક મોડલ્સ રજૂ કરી વેચાણ કર્યું હતું. આ પ્રક્રિયા દ્વારા વિદ્યાર્થીઓએ માર્કેટિંગ, ભાવનિર્ધારણ અને ગ્રાહક વ્યવહારનો જીવંત અનુભવ મેળવ્યો હતો. આ અવસરે ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ તથા નારુભા જેઠવાએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોના પ્રયાસોની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓને નોકરી શોધનાર નહીં પરંતુ નોકરી આપનાર બનવા પ્રેરિત કરે છે. આ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રીમતી સના કાઝી મેડમે જણાવ્યું હતું કે, “વૃદ્ધાશ્રમના વડીલોના આશીર્વાદ સાથે થયેલું ઉદ્ઘાટન વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ છે. કોમર્સ ફેસ્ટ વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ, નેતૃત્વ અને સ્વાવલંબનની દિશામાં આગળ વધારે છે.”








Latest News